21મી જૂને 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, બનાસકાંઠાના નડાબેટ ખાતે થશે રાજ્યકક્ષાની ઉજવણી

21મી જૂને 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, બનાસકાંઠાના નડાબેટ ખાતે થશે રાજ્યકક્ષાની ઉજવણી

21મી જૂને 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, બનાસકાંઠાના નડાબેટ ખાતે થશે રાજ્યકક્ષાની ઉજવણી

દેશભરમાં 21મી જૂને 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ વખતે રાજ્યકક્ષાની ઉજવણી બનાસકાંઠાના સરહદી ગામ નડાબેટમાં કરવામાં આવશે. ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા નડાબેટમાં યોગ અને રાષ્ટ્રભક્તિના સંયોજનથી રાજ્ય સરકાર અને BSFના સહ આયોજનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને આખરી ઓપ અપાયો છે. આ બેઠકમાં રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, યોગ બોર્ડના અધ્યક્ષ સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. ‘સ્વયં અને સમાજ માટે યોગ’ ની થીમ પર રાજ્યભરમાં 312 મુખ્ય સ્થળોએ યોગ દિવસ ઉજવણી કરવામાં આવશે.

ગ્રામ પંચાયતથી લઈને મહાનગરપાલિકા સુધી શાળાઓ, કોલેજ, આઈ.ટી.આઈ, જેલ, આરોગ્ય, પોલીસ સહિતના વિભાગોમાં યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2014માં યુનાઇટેડ નેશન્સ દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને 2015 થી આ દિવસ વિશ્વના દેશોમાં ઉજવાય છે. દર વર્ષે 21મી જૂને વ્યાપક લોક ભાગીદારીથી વિવિધ વિષયવસ્તુ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં અંદાજે સવા કરોડ લોકોની સહભાગીતાથી આ યોગ દિવસને ભવ્ય સફળતા અપાવવાના આયોજનની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ અગાઉના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રાજ્યમાં મળેલી ભવ્ય સફળતા અને ગુજરાતે સ્થાપેલા નવા વર્લ્ડ રેકોર્ડ્સની જેમ જ આગામી યોગ દિવસમાં પણ નવા કીર્તિમાન સ્થાપવામાં ગુજરાત અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *