NCERT ધોરણ-12માં Political Scienceના નવા પુસ્તકમાં બાબરી મસ્જિદનું નામ કેમ બદલાયુ?

NCERT ધોરણ-12માં Political Scienceના નવા પુસ્તકમાં બાબરી મસ્જિદનું નામ કેમ બદલાયુ?

NCERT ધોરણ-12માં Political Scienceના નવા પુસ્તકમાં બાબરી મસ્જિદનું નામ કેમ બદલાયુ?

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા ધોરણ 12ના નવા પોલિટિકલ સાયન્સ પાઠ્યપુસ્તકમાં બાબરી મસ્જિદનું નામ બદલવામાં આવ્યું છે. નવા પુસ્તકમાં બાબરી મસ્જિદના ધ્વંસના ઘણા સંદર્ભો હટાવી દેવામાં આવ્યા છે અને રામ જન્મભૂમિ મંદિર આંદોલન પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે નવા પુસ્તકમાં બાબરી મસ્જિદનું નામ કેમ બદલવામાં આવ્યું છે.

સુધારો કરીને નવું પ્રકરણ તૈયાર થયું

આ અંગે NCERTના ડાયરેક્ટર દિનેશ સકલાણીએ જણાવ્યું હતું કે નિષ્ણાતો દ્વારા ફેરફારો એટલા માટે કરવામાં આવ્યા હતા. કારણ કે પુસ્તકો હિંસક, હતાશ નાગરિકો બનાવવા માંગતા ન હતા. તેમણે કહ્યું કે તેઓ ફેરફારો કરવામાં સીધા સામેલ નથી અને નિષ્ણાતોએ ‘વૈશ્વિક પ્રથાઓ’ મુજબ તેમને જે યોગ્ય લાગ્યું તે કર્યું. જૂના ચેપ્ટરની તપાસ કરી તેમાં સુધારો કરીને નવું પ્રકરણ તૈયાર કરવામાં આવ્યું હતું.

નામ શેના હેઠળ હટાવવામાં આવ્યું?

સકલાણીએ કહ્યું કે, બાબરી મસ્જિદનો સંદર્ભ હટાવવો એ સુપ્રીમ કોર્ટના નિર્ણયને અનુરૂપ છે. ત્રણ મહિના પહેલા ફેરફારોની જાહેરાત કર્યા બાદ પાઠયપુસ્તકની નવી આવૃત્તિ રજૂ કરવામાં આવી હતી. પુસ્તકમાં બાબરી મસ્જિદનું નામ નથી અને નવા પુસ્તકમાં તેને ત્રણ ગુંબજવાળી રચના તરીકે વર્ણવવામાં આવી છે. તેમણે કહ્યું કે નિષ્ણાતોએ નક્કી કર્યું કે તેને શું કહેવુ અને શું નહીં.

તમે અન્ય જગ્યાએથી માહિતી મેળવી શકો છો

તેમણે કહ્યું કે, આ NCERT પુસ્તક એક નાનું પુસ્તક છે. જો કોઈ વિદ્યાર્થી અથવા અન્ય કોઈને આ વિષય પર સંશોધન કરવામાં રસ હોય, તો તેઓ તેના વિશે અન્યત્ર વાંચી શકે છે. સકલાનીએ કહ્યું કે, અમે જિજ્ઞાસુઓને વાંચન અને સંશોધન કરતા રોકી શકતા નથી.

હવે પુસ્તકમાં શું છે?

જો કે, NCERTએ કહ્યું છે કે બદલાયેલા સંસ્કરણમાં લખ્યું છે કે, અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરને લઈને વર્ષો જૂના કાનૂની અને રાજકીય વિવાદે ભારતના રાજકારણને પ્રભાવિત કરવાનું શરૂ કર્યું, જેણે વિવિધ રાજકીય ફેરફારોને જન્મ આપ્યો છે.

કેન્દ્રીય મુદ્દો બનતા રામજન્મભૂમિ મંદિર આંદોલને બિનસાંપ્રદાયિકતા અને લોકશાહીની દિશા બદલી નાખી. આ ફેરફારો સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના નિર્ણયને પગલે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં પરિણમ્યા છે. (જેની જાહેરાત 9 નવેમ્બર, 2019ના રોજ કરવામાં આવી હતી).

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *