રાયબરેલીથી સાંસદ રહેશે રાહુલ ગાંધી, વાયનાડથી આપશે રાજીનામું, પ્રિયંકા ગાંધી લડશે ચૂંટણી

રાયબરેલીથી સાંસદ રહેશે રાહુલ ગાંધી, વાયનાડથી આપશે રાજીનામું, પ્રિયંકા ગાંધી લડશે ચૂંટણી

રાયબરેલીથી સાંસદ રહેશે રાહુલ ગાંધી, વાયનાડથી આપશે રાજીનામું, પ્રિયંકા ગાંધી લડશે ચૂંટણી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ સીટ છોડવાની જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વાયનાડ ઉપરાંત રાયબરેલીથી પણ ચૂંટણી લડ્યા હતા. તેમણે બંને બેઠકો પર જીત મેળવી છે. આવી સ્થિતિમાં હવે રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક પોતાની પાસે રાખી છે અને વાયનાડ છોડી દીધી છે. પાર્ટીએ નક્કી કર્યું છે કે પ્રિયંકા ગાંધી પહેલીવાર પેટાચૂંટણીમાં વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે.

રાહુલ ગાંધી 2019માં પહેલીવાર વાયનાડ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ જીત્યા પણ હતા. ત્યારબાદ અમેઠીમાં રાહુલ ગાંધીને બીજેપી નેતા સ્મૃતિ ઈરાની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અમેઠીમાં હાર બાદ રાહુલ ગાંધી વાયનાડ સીટથી સાંસદ રહ્યા હતા. હવે 2024ની ચૂંટણીમાં રાહુલ ફરી એકવાર બે સીટો પરથી ચૂંટણી લડ્યા હતા. જેમાં એક સીટ વાયનાડ અને બીજી રાયબરેલી હતી. આ વખતે રાહુલ ગાંધી બંને બેઠકો જીતવામાં સફળ રહ્યા હતા. રાહુલને વાયનાડ કરતા રાયબરેલીમાં મોટી જીત મળી છે.

રાયબરેલી ગાંધી પરિવારની પરંપરાગત બેઠક રહી છે

અગાઉ રાયબરેલી બેઠક કોંગ્રેસ પાસે હતી અને સોનિયા ગાંધી સાંસદ હતા. 2024ની ચૂંટણી પહેલા સોનિયા ગાંધી ચૂંટણીની રાજનીતિથી દૂર રહ્યા હતા અને રાજસ્થાનમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. સોનિયા ગાંધી પાંચ વખત રાયબરેલીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2019 સુધી રાયબરેલી સીટ સોનિયા ગાંધી પાસે રહી. સોનિયા ગાંધી પહેલા પણ રાયબરેલી બેઠક પર ગાંધી પરિવારનો દબદબો હતો. આ જ કારણ છે કે રાયબરેલીની બેઠકને ગાંધી પરિવારની પરંપરાગત બેઠક માનવામાં આવે છે.

Related post

નર્મદા વીડિયો  : એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર! ધારાસભ્યની નવું બિલ્ડીંગ બનાવવા સરકારને રજુઆત

નર્મદા વીડિયો : એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો…

નર્મદા જિલ્લાના એકતાનગરમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં છે. છેલ્લા બે વર્ષથી આ શાળા નર્મદા નિગમના બિલ્ડીંગમાં ચાલે…
Rain Report :  છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં ધબધબાટી બોલાવી, સૌથી વધુ દાંતામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

Rain Report : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં…

ગુજરાતભરમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 141 તાલુકામાં…
Health News : વિટામિન ડીની ઉણપ હોય તો દેખાય છે આ લક્ષણો,જુઓ તસવીરો

Health News : વિટામિન ડીની ઉણપ હોય તો દેખાય…

વર્તમાન સમયમાં કેટલાક લોકોને આહાર લીધા પછી અને પૂરી ઊંઘ લીધા પછી પણ થાક લાગતો હોય છે. વિટામિન ડીની ઉણપથી પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *