Rajkot : રૈયા નજીક બિલ્ડિંગના સ્વિમિંગ પુલમાં ડુબી જતા 2 બાળકીના મોત, જુઓ Video

Rajkot : રૈયા નજીક બિલ્ડિંગના સ્વિમિંગ પુલમાં ડુબી જતા 2 બાળકીના મોત, જુઓ Video

ફરી એક વાર રાજકોટમાં માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. હજુ તો ત્રણ મહિના પહેલા જ રાજકોટમાં એક પરિવારે સ્વિમિંગ પુલમાં ડુબતા પોતાનો બાળક ગુમાવ્યો છે. ફરી રાજકોટમાં જ બે બાળકીઓના સ્વિમિંગ પુલમાં ડુબી જતા મોત થયા છે.

બંન્ને મૃતક બાળકીઓ નેપાળી પરિવારની

રાજકોટમાં રૈયા વિસ્તારમાં આવેલા શિલ્પન ઓનેક્સ બિલ્ડીંગમાં બે બાળકીના સ્વિમિંગપુલમાં ડુબી જવાથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આ બંન્ને મૃતક બાળકીઓ નેપાળી પરિવારની હોવાની માહિતી છે. આ બંને બાળકીના નામ પ્રકૃતિ ગોકુલ ચાંદ અને મેનુકા પ્રકાશ સિંહ છે.

નેપાળી પરિવારમાં શોકનો માહોલ

આ બંને બાળકીઓ ત્રણ-ત્રણ વર્ષની હોવાનું સામે આવ્યું છે. સોસાયટીમાં સાયકલ ફેરવી રહી હતી ત્યારે સ્વિમિંગ પૂલમાં પડી ગઇ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જો કે આ અંગે હજુ કોઇ સત્તાવાર રીતે પોલીસ તરફથી જાણકારી આપવામાં આવી નથી. બે બાળકીઓના મોત થતા નેપાળી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

માર્ચ મહિનામાં આ રીતે જ બાળકનું મોત થયુ હતુ

ત્રણ મહિના પહેલા પણ રાજકોટમાં આવો જ એક કિસ્સો બન્યો હતો. નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર આવેલા ઓરમ એપાર્ટમેન્ટમાં સ્વિમિંગ પુલમાં ચાર વર્ષના બાળકના ડુબી જવાની મોત થયુ હતુ. આ બાળક પણ નેપાળી ચોકીદાર પરિવારનો જ હતો. ચાર વર્ષનો બાળક સ્વિમિંગ પુલ પાસે રમતો હતો, ત્યારે પાણી જોવા જતાં અંદર ગરકાવ થઈ ગયો હતો.

Related post

UK Election Result : ઋષિ સુનકે સ્વીકારી હાર..લેબર પાર્ટી 400ને પાર, યુકેની ચૂંટણીમાં મોટો ઉલટફેર

UK Election Result : ઋષિ સુનકે સ્વીકારી હાર..લેબર પાર્ટી…

યુનાઇટેડ કિંગડમ (યુકે) માં સામાન્ય ચૂંટણી માટે પડેલા મતોની આજે ગણતરી કરવામાં આવી રહી છે. લેબર પાર્ટીના કીર સ્ટાર્મર અને કન્ઝર્વેટિવ…
Rath yatra 2024 : રથયાત્રા પૂર્વે આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી- જુઓ Video

Rath yatra 2024 : રથયાત્રા પૂર્વે આજે જગન્નાથ મંદિરમાં…

રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એક પછી એક પ્રસંગોની…
ભરૂચ : રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ, જુઓ વીડિયો

ભરૂચ : રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ…

ભરૂચ : રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રા ભરૂચમાં નીકળે છે. અતિ પૌરાણિક હોવાના કારણે અહીં ભગવાન જગન્નાથની રથયાત્રાનું મહત્વ પણ ખુબ હોય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *