એરોપ્લેનના ટાયરમાં નથી ભરેલી હોતી “હવા”, તો એવું શું હોય છે કે ટાયર ફાટતા નથી, જાણો અહીં
- GujaratOthers
- June 17, 2024
- No Comment
- 13
તમે જોયું જ હશે કે જ્યારે પ્લેન હવામાંથી રનવે પર લેન્ડ થાય છે ત્યારે તેના ટાયર ઝડપથી જમીન પર પડી જાય છે. જમીન પર પડ્યા બાદ તેઓ પ્લેનની ઝડપ અને આટલા મોટા પ્લેનના દબાણનો સામનો કરી સરળતાથી આગળ વધી શકે છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ટાયરોમાં એવું શું ખાસ છે કે તે ફાટતા નથી, જાણો
વિમાન 250-270 કિલોમીટરની ઝડપે રનવે પર ઉતરે છે, આવી સ્થિતિમાં તેના ટાયરની મજબૂતીનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.પ્લેનના ટાયર હજારો પાઉન્ડનું વજન અને હાઈ સ્પીડને સંભાળી શકે છે. આ એટલા માટે છે કારણ કે તે ખાસ રીતે બનાવવામાં આવે છે. એક તેને મજબુત રીતે બનાવવામાં આવે છે અને બીજું તેમાં હવા નહીં પણ નાઈટ્રોજન ગેસ ભરેલો હોય છે, જેનાથી કારણે ટાયર મજબૂત રહે છે અને ફાટતા નથી
આ ટાયર સિન્થેટીક રબરના સંયોજનો સાથે બનાવવામાં આવે છે અને તેને એલ્યુમિનિયમ સ્ટીલ, નાયલોન સાથે જોડવામાં આવે છે. તેમજ વજનની વાત કરીએ તો કોઈપણ વિમાનના ટાયર 800psi સુધીનું વજન સરળતાથી સહન કરી શકે છે. આ ઉપરાંત, તેમાં ફ્યુઝિબલ પ્લગ પણ ઇન્સ્ટોલ કરેલા છે.
આ ફ્યુઝીબલ પ્લગ ટાયરમાં હાજર નાઈટ્રોજનને બહાર નીકળતા અટકાવે છે. જેના કારણે કોઈપણ પ્રકારની દુર્ઘટના થવાની સંભાવના ઘણી ઘટી જાય છે. વિમાનના ટાયર ટ્રકના ટાયર કરતાં બમણા અને કારના ટાયર કરતાં છ ગણા વધુ ફૂલેલા હોય છે. તેને બનાવતી વખતે એરક્રાફ્ટના આધારે તેમના કદ વગેરેને ધ્યાનમાં રાખવામાં આવે છે.
તેની સાથે તેમાં એક ખાસ પ્રકારની હવા ભરાય છે, જેને નાઈટ્રોજન ગેસ કહેવામાં આવે છે. વિમાનના ટાયર નાઈટ્રોજનથી ભરેલા હોય છે. નાઈટ્રોજન એક નિષ્ક્રિય વાયુ છે, તેથી તેના પર ઉંચા તાપમાન અને દબાણના ફેરફારોની અસર ઓછી થાય છે. ઉપરાંત, તેઓ 38 ટન સુધીના વજન સાથે ટેસ્ટ કરવામાં આવે છે.