Health Tips : નહાવાના પાણીમાં એક ચપટી ભેળવી લો આ વસ્તુ, દિવસભરનો થાક ઉતરી જશે
- GujaratOthers
- June 14, 2024
- No Comment
- 9
સ્વસ્થ અને સુંદર ત્વચા મેળવવી છે તો માત્ર ચહેરો ચમકાવવાથી કામ નથી થતું. આ માટે ત્વચાને પૂરતું પોષણ આપવું જરૂરી છે. કેટલાક લોકો માત્ર તેમના ચહેરાને સુંદર બનાવવા માટે અલગ-અલગ ઉપાયો અજમાવતા હોય છે, પરંતુ જ્યારે આખા શરીરને પોષણ આપવાની વાત આવે છે, ત્યારે નહાવાના પાણીમાં ફટકડી ભેળવીને ઉપયોગ કરવો ફાયદાકારક સાબિત થાય છે. ફટકડીમાં ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે જે શરીરને સ્વસ્થ અને ત્વચાને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.
ફટકડી એ એલ્યુમિનિયમ, પોટેશિયમ અને સલ્ફેટનું બનેલું સંયોજન છે. ફટકડીને સ્ફટિકના રૂપમાં તૈયાર કરવામાં આવે છે. કેટલાક લોકો શિયાળામાં ફટકડીનો ખૂબ ઉપયોગ કરે છે. ફટકડીનો ઉપયોગ પાણીને શુદ્ધ કરવા, ઘણી બ્યુટી પ્રોડક્ટ્સ અને દવાઓમાં થાય છે. ફટકડીમાં એન્ટિસેપ્ટિક અને બળતરા વિરોધી ગુણો જોવા મળે છે. દાઢી કર્યા પછી લોકો ઘણીવાર ચહેરા પર ફટકડીનો ઉપયોગ કરે છે. ત્યારે ચાલો જાણીએ પાણીમાં ફટકડી નાખીને સ્નાન કરવાથી ફાયદા વિશે.
થાક અને દુખાવામાં રાહત – પાણીમાં ફટકડી નાખીને સ્નાન કરવાથી દિવસભરનો થાક દૂર થાય છે. આ સ્નાયુઓને આરામ આપે છે. જો તમે કોઈપણ શારીરિક પ્રવૃત્તિ પછી થાકી ગયા હોવ તો ફટકડી મિશ્રિત પાણીથી સ્નાન કરો. જો બાળકોને પગમાં દુખાવો થતો હોય, તો તેણે ફટકડીવાળા નવશેકા પાણીમાં પગ પલાળી દેવા જોઈએ. ગરમ પાણીમાં ફટકડી નાખીને ત્યાં પગ રાખવાથી ઘણી રાહત મળે છે.
દુર્ગંધ જતી રહેશે – ઉનાળામાં પરસેવાની દુર્ગંધ તમને સૌથી વધુ પરેશાન કરે છે. જો તમે વારંવાર પરફ્યુમ લગાવવા માંગતા ન હોવ તો ફટકડીના પાણીથી સ્નાન કરવાનું શરૂ કરો. ફટકડીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે જે શરીરની ગંધને દૂર કરે છે અને ખરાબ ગંધ પેદા કરતા બેક્ટેરિયાને મારી નાખે છે. ફટકડીના પાણીથી સ્નાન કરવાથી લાંબા સમય સુધી તાજગીનો અનુભવ થાય છે.
ત્વચા મુલાયમ અને પોર્શ ટાઈટ થશે – વધતી જતી ઉંમર સાથે ત્વચા વધારે મુલાયમ લાગે છે. આવી સ્થિતિમાં ફટકડીનો ઉપયોગ ફાયદાકારક સાબિત થાય છે. ફટકડીના પાણીથી સ્નાન કરવાથી ત્વચા ટાઈટ થાય છે અને ટોન પણ નિખરે છે. તેનાથી પોર્સ અને ફાઈન લાઈન્સ ઓછી થાય છે અને ત્વચા મુલાયમ બને છે. ઉંમર વધવાની સાથે ફટકડીના પાણીથી સ્નાન કરવું ફાયદાકારક સાબિત થાય છે.
ચહેરા પરનો સોજો દૂર થાય છે- ફટકડીમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે જે સોજો ઓછો કરે છે. ફટકડી ખીલ પેદા કરતા બેક્ટેરિયાને ઘટાડે છે. આના કારણે પિમ્પલ્સ પણ સુકાઈ જાય છે અને ઝડપથી પાછા આવતા નથી. આ સાથે ખરજવું અથવા સોરાયસિસથી પીડિત દર્દીઓ માટે તે ફાયદાકારક છે.
ઇજાઓ અને ઘાવને ઠીક કરે – ફટકડી તેના એન્ટિસેપ્ટિક ગુણધર્મો માટે પણ જાણીતી છે. જો નાનો કટ, સ્ક્રેચ અથવા ઘા હોય તો તેને સાફ કરવાની જરૂર હોય તો ફટકડીનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ઈન્ફેક્શન ઓછું થાય છે અને ઈજા ઝડપથી રૂઝાઈ જાય છે. ફટકડી રક્તસ્રાવને પણ અટકાવે છે. શેવિંગ દરમિયાન કટ પર ફટકડી લગાવવામાં આવે છે.