ખોરાકમાં વધુ પડતું નમક નોતરી શકે છે ગંભીર બીમારી,જાણી લો નુકસાન

ખોરાકમાં વધુ પડતું નમક નોતરી શકે છે ગંભીર બીમારી,જાણી લો નુકસાન

ખોરાકમાં વધુ પડતું નમક નોતરી શકે છે ગંભીર બીમારી,જાણી લો નુકસાન

Side Effects Of Eating Extra Salt: કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન કરવું નુકસાનકારક છે. આ જ વસ્તુ નમક સાથે લાગુ પડે છે જે ખોરાકનો સ્વાદ વધારે છે. ખાવાનો સ્વાદમાં વધારા માટે આપણે ભોજનમાં નમક નાખી છીએ. કેટલાક લોકો વધુ પડતું નમક ખાય છે.એમને એવી આદત હોય છે કે ભોજનના નમક સીવાય અલગથી ઉપરથી નમક ખાય છે.

આ વધારે પડતું નમક બીમારી નોતરી શકે છે. વધારે નમક ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે. વધુ પડતું મીઠુ ખાવાને કારણે તમને હાર્ટથી લઈને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થઈ શકે છે.

સોજો અને ખીલ

જે લોકો વધારે મીઠુ ખાય છે તેમના ચહેરા પર જલદી સોજો આવી જાય છે. આટલું જ નહીં, અન્ય લોકોની સરખામણીમાં તેમને ખીલની સમસ્યા પણ વારંવાર થવા લાગે છે. આવું એટલા માટે થાય છે કારણ કે મીઠુ તમારા શરીરમાં પાણી જાળવી રાખે છે જેના કારણે શરીરના કોષોમાં પાણીની અછત થાય છે. જેના કારણે તમારો ચહેરો ખીલવા લાગે છે.

ત્વચા શુષ્ક બને છે

મીઠુ તમારી ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. પરંતુ જો તમે વધુ પડતું મીઠુ ખાવાનું શરૂ કરો છો, તો તેનાથી તમારી ત્વચામાં ભેજ ઊડી જાય છે જેના કારણે તમારી ત્વચા શુષ્ક અને નિર્જીવ દેખાવા લાગે છે. જેના કારણે તમને સમય પહેલા અને નાની ઉંમરમાં જ કરચલીઓ પડવા લાગે છે. તે જ સમયે, વધારાનું મીઠુ કોલેજનનું ઉત્પાદન પણ ઘટાડે છે.

ત્વચા વધુ સંવેદનશીલ બને છે

જો તમારી ત્વચા પહેલેથી જ સંવેદનશીલ છે અને તેમ છતાં તમે વધુ પડતું મીઠુ ખાઓ છો, તો તમને ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સાથે, તમને ત્વચામાં લાલાશ, બળતરા અને ખંજવાળ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

ઘા ઝડપથી રૂઝાતા નથી

જો આપણે વધુ પડતા મીઠાનું સેવન કરીએ છીએ તો શરીરના ઘા જલદી રૂઝાતા નથી. આ સાથે, વધુ પડતા મીઠાનું સેવન કરવાથી શરીરમાં ઓક્સિડેટીવ તણાવ વધી શકે છે, જેના કારણે ત્વચાની ચમક ઓછી થવા લાગે છે.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *