વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે ભારતના મુખ્ય ન્યાયાધીશ…કોનો પગાર છે સૌથી વધુ ?

વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે ભારતના મુખ્ય ન્યાયાધીશ…કોનો પગાર છે સૌથી વધુ ?

વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે ભારતના મુખ્ય ન્યાયાધીશ…કોનો પગાર છે સૌથી વધુ ?

નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે તેમને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. વડાપ્રધાનને આપવામાં આવતી સુવિધાઓ ખાસ છે. તેઓને સત્તાવાર સરકારી રહેઠાણની સાથે સુરક્ષા માટે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) મળે છે. સરકારી વાહનો અને વિમાનોની સુવિધા હોય છે. સરકાર આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન તેમના રહેઠાણ અને અન્ય ખર્ચાઓ ભોગવે છે.

ત્યારે શું તમે જાણો છો કે વડાપ્રધાનને કેટલો પગાર મળે છે અને આ પગાર રાષ્ટ્રપતિ અને ભારતના મુખ્ય ન્યાયાધીશ કરતાં વધુ હોય છે કે ઓછો ? તો આજે અમે તમને આ લેખમાં તેના વિશે જણાવીશું.

વડાપ્રધાનનો પગાર કેટલો છે ?

દેશના વડાપ્રધાનને દર મહિને 1.66 લાખ રૂપિયા પગાર મળે છે. આમાં મૂળ પગાર 50 હજાર રૂપિયા છે. 3 હજાર રૂપિયા ખર્ચ ભથ્થાના રૂપમાં છે. તો 45 હજાર રૂપિયા સંસદીય ભથ્થું છે. આ સિવાય 2 હજાર રૂપિયાનું દૈનિક ભથ્થું સામેલ છે.

ભારતમાં વડાપ્રધાન પદ પર હોય ત્યારે તો સુવિધાઓ મળે છે, પરંતુ પદ છોડ્યા બાદ પણ તેમને અનેક લાભો મળે છે. જેમ કે, પ્રથમ પાંચ વર્ષ માટે સરકારી મકાન, વીજળી, પાણી અને SPG સુવિધા. લ્યુટિયન ઝોનમાં આજીવન મફત આવાસ, મફત તબીબી સહાય અને ઓફિસ છોડ્યા પછી પ્રથમ પાંચ વર્ષ માટે 14 લોકોનો સચિવાલય સ્ટાફ પણ આપવામાં આવે છે.

ભારતના રાષ્ટ્રપતિનો પગાર કેટલો છે ?

ભારતના રાષ્ટ્રપતિ પાસે ઘણી સત્તાઓ છે. તેઓ ભારતીય સશસ્ત્ર દળોના કમાન્ડર ચીફ છે. તેમની પાસે વડાપ્રધાન સહિત અનેક મહત્વના પદો પર નિમણૂંક કરવાની સત્તા છે. એટલું જ નહીં, તેમને સંસદના સત્ર બોલાવવાની અને સ્થગિત કરવાની પણ સત્તા છે. રાષ્ટ્રપતિને તેમના પગારની સાથે અનેક પ્રકારના ભથ્થા પણ મળે છે.

દેશના રાષ્ટ્રપતિને દર મહિને 5 લાખ રૂપિયા પગાર મળે છે. આ સિવાય તેમને ઘણા ભથ્થા મળે છે જે ટેક્સના દાયરાની બહાર છે. તેમને વિશ્વભરમાં ટ્રેન અને પ્લેનમાં મફત મુસાફરી કરવાનો અધિકાર મળે છે.

પદ છોડ્યા પછી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને દર મહિને 1.5 લાખ રૂપિયાનું પેન્શન મળે છે. આ ઉપરાંત એક સરકારી મકાન, બે ફ્રી લેન્ડલાઈન ફોન, એક મોબાઈલ ફોન અને પાંચ અંગત કર્મચારીઓનો સ્ટાફ આપવામાં આવે છે.

CJI ને કેટલો પગાર મળે છે ?

અધિકૃત ન્યાય વિભાગ અનુસાર, દેશના મુખ્ય ન્યાયાધીશને દર મહિને 2,80,000 રૂપિયાનો પગાર મળે છે. તો પદ છોડ્યા પછી, ભૂતપૂર્વ CJIને વાર્ષિક 16,80,000 રૂપિયા પેન્શન મળે છે. આ સાથે, ભથ્થું પણ આપવામાં આવે છે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશને ગ્રેચ્યુટી તરીકે 20 લાખ રૂપિયા મળે છે. નિવૃત્તિ પછી તેઓ અને તેમના પરિવારને પણ કેન્દ્રીય સિવિલ સેવાના વર્ગ વન અધિકારીને મળતી તબીબી સુવિધાઓ મળે છે. આ ઉપરાંત સુરક્ષા પણ પૂરી પાડવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને દર મહિને 2.50 લાખ રૂપિયા અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને દર મહિને 2.50 લાખ રૂપિયાનો પગાર મળે છે. આ સિવાય હાઈકોર્ટના જસ્ટિસને દર મહિને 2.25 લાખ રૂપિયાનો પગાર મળે છે.

 

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *