આ ડિફેન્સ સ્ટોકે રોકાણકારોને કર્યા માલામાલ, રૂપિયા 1 લાખના થયા 5 લાખ

આ ડિફેન્સ સ્ટોકે રોકાણકારોને કર્યા માલામાલ, રૂપિયા 1 લાખના થયા 5 લાખ

આ ડિફેન્સ સ્ટોકે રોકાણકારોને કર્યા માલામાલ, રૂપિયા 1 લાખના થયા 5 લાખ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છેલ્લા કાર્યકાળ દરમિયાન સરકારે દેશને ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભર બનાવવા માટે ઘણા પગલાં લીધાં છે. સરકારના આ પ્રયાસોથી ઘણી સ્થાનિક ડિફેન્સ કંપનીઓને ફાયદો થયો છે. ત્યારે એક કંપની એવી પણ છે, જેના શેરની કિંમત 500 ટકા વધી છે. અમે Zen Technologies Limited કંપની વિશે વાત કરી રહ્યા છીએ, જેના શેરોએ માત્ર 2 વર્ષમાં રોકાણકારોને 500 ટકા વળતર આપ્યું છે.

આ કંપની બનાવે છે એન્ટી ડ્રોન સિસ્ટમ

Zen Technologies Limited એક સ્થાનિક ડિફેન્સ કંપની છે. આ કંપની એન્ટી ડ્રોન સિસ્ટમ બનાવે છે. તાજેતરમાં આ કંપનીએ ઓડિશાના ગોપાલપુરમાં સ્થિત આર્મી એર ડિફેન્સ કોલેજનો ઓર્ડર પૂરો કર્યો છે. આ કારણે શુક્રવારે પણ કંપનીના શેર એક દિવસમાં 9 ટકા વધ્યા હતા. હાલમાં તેના શેરની કિંમત 971 રૂપિયા છે.

500 ટકાનો વધારો

Zen Technologiesના શેરના ભાવમાં વધારાની વાત કરીએ, તો તેણે છેલ્લા 2 વર્ષમાં 500 ટકા સુધીનું વળતર આપ્યું છે. છેલ્લા 4 વર્ષના રેકોર્ડ પર નજર કરીએ તો આ વળતર 3,750 ટકા છે. છેલ્લા એક મહિનામાં જ આ શેરની કિંમતમાં લગભગ 35 ટકાનો વધારો જોવા મળ્યો છે.

લગભગ 2 વર્ષ પહેલા કંપનીનો શેર 188 રૂપિયાની આસપાસ હતો. હવે તે વધીને 971 રૂપિયા થઈ ગયો છે. આ ભાવ 7 જૂન, 2024ને શુક્રવારના રોજનો છે. જો આપણે છેલ્લા 2 વર્ષના વળતર પર નજર કરીએ તો, રોકાણકારોને 1 લાખના વર્તમાનમાં 5 લાખ મળી રહ્યા છે. એટલે કે 2 વર્ષ પહેલાં જે લોકોએ 1 લાખનું રોકાણ કર્યું હશે, તેમના વર્તમાનમાં 5 લાખ થયા છે. આ રીતે Zen Technologiesના રોકાણકારો માલામાલ થયા છે.

નોંધ : આ લેખમાં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. બજારમાં રોકાણ જોખમોને આધીન છે, તેથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ આપતું નથી.

Related post

UK Election Result : ઋષિ સુનકે સ્વીકારી હાર..લેબર પાર્ટી 400ને પાર, યુકેની ચૂંટણીમાં મોટો ઉલટફેર

UK Election Result : ઋષિ સુનકે સ્વીકારી હાર..લેબર પાર્ટી…

યુનાઇટેડ કિંગડમ (યુકે) માં સામાન્ય ચૂંટણી માટે પડેલા મતોની આજે ગણતરી કરવામાં આવી રહી છે. લેબર પાર્ટીના કીર સ્ટાર્મર અને કન્ઝર્વેટિવ…
Rath yatra 2024 : રથયાત્રા પૂર્વે આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી- જુઓ Video

Rath yatra 2024 : રથયાત્રા પૂર્વે આજે જગન્નાથ મંદિરમાં…

રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એક પછી એક પ્રસંગોની…
ભરૂચ : રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ, જુઓ વીડિયો

ભરૂચ : રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ…

ભરૂચ : રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રા ભરૂચમાં નીકળે છે. અતિ પૌરાણિક હોવાના કારણે અહીં ભગવાન જગન્નાથની રથયાત્રાનું મહત્વ પણ ખુબ હોય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *