બ્રિટન કેમ બદલી રહ્યું છે ચલણી નોટો અને પાસપોર્ટ ? શું પાઉન્ડ બની જશે બેકાર ?

બ્રિટન કેમ બદલી રહ્યું છે ચલણી નોટો અને પાસપોર્ટ ? શું પાઉન્ડ બની જશે બેકાર ?

બ્રિટન કેમ બદલી રહ્યું છે ચલણી નોટો અને પાસપોર્ટ ? શું પાઉન્ડ બની જશે બેકાર ?

બેંક ઓફ ઇંગ્લેન્ડે યુનાઇટેડ કિંગડમના નાગરિકોને રાણી એલિઝાબેથની ફોટાવાળી જૂની નોટો પરત કરવા જણાવ્યું છે, કારણ કે દેશે કિંગ ચાર્લ્સ III ના ફોટાવાળી નવી નોટો ચલણમાં લાવી છે. 75 વર્ષીય બ્રિટિશ રાજાનો ફોટો ચારેય ચલણી નોટ્સ GBP 5, 10, 20 અને 50 પર જોવા મળશે. આ સિવાય હાલની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

રાણી એલિઝાબેથ II ના અવસાન પછી કિંગ ચાર્લ્સના ફોટાવાળી ચલણી નોટ ડિસેમ્બર 2022માં પ્રથમ વખત પ્રકાશિત કરવામાં આવી હતી. લોકો 300 પાઉન્ડ સુધીની મર્યાદા સાથે 30 જૂન સુધી તેમની જૂની નોટો નવી નોટોમાં બદલી શકશે. જો કે, રાણી એલિઝાબેથના ફોટાવાળી જૂની ચલણી નોટો બંધ કરવામાં આવશે નહીં અને બંને ચલણી નોટો ચલણમાં ચાલુ રહેશે.

બેન્ક નોટ કેવી રીતે બદલવી ?

લોકો પાસે 30 જૂન સુધી તેમનું ચલણ એક્સચેન્જ કરવાનો સમય છે. 5 જૂન અને 11 જૂનની વચ્ચે લોકો થ્રેડનીડલ સ્ટ્રીટ પર બેંક ઓફ ઈંગ્લેન્ડના કાઉન્ટરની મુલાકાત લઈને તેમની કરન્સી બદલી શકે છે. અરજીપત્રક ભરીને, વ્યક્તિઓ તેમની બેન્કનોટ પણ બદલી શકે છે. યુનાઇટેડ કિંગડમના રહેવાસીઓ આ પ્રક્રિયાનો ઉપયોગ કરવા માટે પાત્ર છે.

જૂની નોટોનું શું થશે ?

ક્વીન એલિઝાબેથ II ના ફોટો ધરાવતી જૂની નોટો કાનૂની ટેન્ડર રહેશે અને નવી નોટોની સાથે ચલણમાં રહેશે. બેંક ઓફ ઈંગ્લેન્ડે કહ્યું છે કે જૂની અને ઘસાઈ ગયેલી નોટોને બદલવા માટે નવી નોટ છાપવામાં આવી છે.

બ્રિટિશ પાસપોર્ટમાં પણ ફેરફાર

બ્રિટિશ પાસપોર્ટના અંદરના કવર પરના શબ્દોને પણ અપડેટ કરવામાં આવ્યા છે. કિંગ ચાર્લ્સ III વર્તમાન મહારાજા છે, તેથી પાસપોર્ટમાં ફેરફાર કરીને Her મેજેસ્ટીને બદલે His મેજેસ્ટી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઔપચારિક કાર્યોમાં રાજ્યના વડાને સંબોધવા માટે વપરાતો શબ્દ હવે ‘ધ ક્વીન’થી ‘ધ કિંગ’માં બદલાશે.

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *