Rajkot Video :  ધોરાજી નજીક આવેલા ભાદર – 2 ડેમમાંથી સિંચાઈનું પાણી છોડાયુ, સોયાબીન સહિતના પાકના વાવેતરમાં થશે લાભ

Rajkot Video : ધોરાજી નજીક આવેલા ભાદર – 2 ડેમમાંથી સિંચાઈનું પાણી છોડાયુ, સોયાબીન સહિતના પાકના વાવેતરમાં થશે લાભ

ગુજરાતમાં ચોમાસુ બેસવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજકોટના ધોરાજી નજીક આવેલા ભાદર – 2 ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવામાં આવ્યુ છે. ભાદર -2 ડેમમાંથી પાણી કેનાલ મારફતે સિંચાઇ માટે છોડવામાં આવ્યું છે. 140 ક્યુસેક પાણી કેનાલ મારફત છોડવામાં આવ્યું છે. ચોમાસુ પાકના આગોતરા વાવેતર માટે ખેડૂતોએ પાણીની માગ કરી છે. ખેડૂતોની માગને ધ્યાનમાં રાખી અને ભાદર -2 ડેમમાંથી સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યુ છે. કપાસમાં મગફળી,સોયાબીન અને તુવેર સહિતના વાવેતર કરતા ખેડૂતોને લાભ થશે.

નર્મદા ડેમમાં પાણીની સપાટી વધી

બીજી તરફ સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. ચોમાસા અગાઉ જ સરદાર સરોવર ડેમની સપાટી 123.38 મીટર નોંધાઈ છે. જો કે સરદાર સરોવર ડેમમાં 94,405 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. પાવરહાઉસમાંથી નર્મદા કેનાલમાં પાણીની જાવક 5,365 ક્યૂસેક છે. પાવરહાઉસમાંથી નર્મદા નદીમાં પાણી છોડાવવાની શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *