3 ઓક્ટોબરના મહત્વના સમાચાર : શક્તિપીઠ અંબાજીમાં આજે સવારે 11:00 કલાકે થશે ઘટસ્થાપન, શણગારેલા માટીના ગરબામાં વિધિવત જ્યોતનું સ્થાપન થશે
- GujaratOthers
- October 3, 2024
- No Comment
- 10
અમદાવાદમાં મોટા ગરબાના આયોજન સામે સવાલ ઊભા થયા છે. ફાયર NOC ન હોવાથી પોલીસે એક પણ આયોજનને મંજૂરી નથી આપી. અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. નવી CP કચેરી સહિત વિવિધ વિકાસ કાર્યોની તેઓ ભેટ આપશે. રાત્રે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરાવશે. દાહોદના દેવગઢબારીયામાંથી મોટા પાયે વિદેશી દારૂ ઝડપાયો છે. 25 લાખથી વધુની કિંમતનો દારૂ જપ્ત કરાયો છે. કન્ટેનરમાં ચોરખાનું બનાવી દારૂ સંતાડ્યો હતો. દિલ્લીમાં નશાનું જંગી કન્સાઇન્મેન્ટ ઝડપાયું છે. પોલીસે 5 હજાર કરોડ રૂપિયાનો કોકોઇનનો જથ્થો જપ્ત કર્યો. 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પોતાની નવી રાજકીય પાર્ટી શરૂ કરી. નવી પાર્ટીનું નામ જન સૂરાજ રાખવામાં આવ્યુ. ઇઝરાયલે લેબનોન પર ફરી ભીષણ હુમલો કર્યો છે. પીએમ નેતન્યાહુએ ઇઝરાયલના સુરક્ષા વડાઓ સાથે બેઠક કરી. ઇરાનના તેલ ભંડાર પર ત્રાટકવાની તૈયારી છે.