29 ઓગસ્ટના મહત્વના સમાચાર : 24 કલાકમાં 238 તાલુકામાં વરસાદ, સૌથી વધુ દ્વારકાના ભાણવડમાં 12 ઈંચ વરસાદ
- GujaratOthers
- August 29, 2024
- No Comment
- 10
કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસ મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નારાજગી વ્યક્ત કરી છે. કહ્યું, બસ હવે બહુ થયું. દુષ્કર્મની ઘટનાથી નિરાશ અને ભયભીત છું. દીકરીઓ વિરુદ્ધ નૃશંસ અપરાધ મંજૂર નથી. મોદી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. દેશમાં 12 ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી બનાવાની જાહેરાત કરી છે. 10 લાખ લોકોને રોજગારીનો દાવો કર્યો છે. રાજ્યમાં પૂરની સ્થિતિ પર રાજનીતિ ખેલાઇ રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ માટે આગામી 48થી 72 કલાક અતિ ભારે છે. કચ્છ તરફ જતું ડીપ ડીપ્રેશન પાકિસ્તાન તરફ ફંટાયું છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરે વિનાશ વેર્યો છે. 1.25 લાખ મકાન અને 250 ગામડાઓમાં 60 કલાકથી અંધારપટ છે. તો આવતીકાલે શાળાઓમાં રજા છે. સંભવિત આગાહી વચ્ચે રાજકોટ કલેક્ટરે મોટું નિવેદન આપ્યુ. લોકોને 2 દિવસ ઘરની બહાર ન નીકળવા અપીલ કરી. આર્મી અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. તો 1 લાખ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.