24 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : આગામી ચાર દિવસ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
- GujaratOthers
- September 24, 2024
- No Comment
- 3
UNની મહાસભામાં PM મોદીએ સંબોધન કરતા કહ્યું, શાંતિ અને વિકાસ માટે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા થાય. આતંકવાદને ગંભીર ખતરો ગણાવ્યો. દાહોદનાં તોરણીમાં બાળકીની હત્યાનો આરોપી આચાર્યને 4 દિવસના રિમાન્ડ પર મોકલાયો છે. વકીલોએ આરોપીનો કેસ ન લડવાની જાહેરાત કરી. દાહોદની ઘટના પર રાજનીતિ ગરમાઈ. કોંગ્રેસે દીકરીઓની સુરક્ષા માટે સમિતી નીમવાની માગ કરી. તો પ્રફૂલ પાનસેરિયાએ ઝડપી ન્યાયની ખાતરી આપી. સુરતમાં રેલવે લાઈનના પેડલોડ કાઢનારો રેલવેનો જ કર્મચારી નીકળ્યો. પ્રમોશન મેળવવા જાતે જ ઘટનાને ઉપજાવી કાઢી. રાજકોટમાં 756 પશુના મોત પર રાજનીતિ ગરમાઈ. માલધારી સમાજે કોર્પોરેશન સામે સવાલ ઊભા કર્યા, તો સ્ટેન્ડિંગ કમિટીએ લૂલો બચાવ કર્યો. સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમની સપાટી 138.02 મીટર થઇ. જળસ્તર સંપૂર્ણ સપાટીથી માત્ર 66 સેન્ટીમીટર દૂર છે.