18 ઓગસ્ટના મહત્વના સમાચાર: કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગુજરાતના પ્રવાસ, અનેક વિકાસકામોની આપશે ભેટ, 28 વર્ષ પહેલા ભારત આવેલા 22 પાકિસ્તાની હિંદુઓને આજે અમિત શાહની ઉપસ્થિતિમાં મળશે ભારતીય નાગરિક્તા
- GujaratOthers
- August 18, 2024
- No Comment
- 13
18 ઓગસ્ટના મહત્વના સમાચારો પર નજર કરીએ તો કોલકાતા રેપકાંડ બાદ ગૃહમંત્રાલયે સખ્તી બતાવતા મોટો નિર્ણય કર્યો છે અને દર બે કલાકે કાયદો વ્યવસ્થાની સ્થિતિનો કેન્દ્રને રિપોર્ટ સોંપવા તમામ રાજ્યોને આદેશ કર્યો છે. ગુજરાતના સમાચારો પર નજર કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ અનેક વિકાસ કામો અને ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અમિત શાહની ઉપસ્થિતિમાં આજે 22 પાકિસ્તાની હિંદુ નાગરિકોને ભારતની નાગરિક્તા આપવામાં આવનાર છે. આ તમામ લોકો 28 વર્ષ પહેલા ભારત આવ્યા હતા. જેમને 28 વર્ષે ભારતીય નાગરિક્તા મળશે. વડોદરાને વધુ એક નવો રિંગરોડ મળવા જઈ રહ્યો છે. રાજ્ય સરકારે તેના માટે 316 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. પ્રથમ તબક્કામાં 27 કિ.મી. લાંબો રિંગ રોડ બનશે. જેનાથી ટ્રાફિકનું ભારણ ઘટશે.