16 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : PM મોદી આજે ગુજરાતને 8000 કરોડ રૂપિયાની ભેટ આપશે
- GujaratOthers
- September 16, 2024
- No Comment
- 2
PM મોદી આજે વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. GMDCમાં તેઓ સભા સંબોધશે, તો મોટેરાથી મહાત્મા મંદિર મેટ્રો રૂટનો પ્રારંભ કરાવશે. બે દિવસ બાદ દિલ્લીના CM પદેથી કેજરીવાલ રાજીનામું આપશે. કહ્યું દિલ્લીની જનતા નક્કી કરે હું ઈમાનદાર કે ગુનેગાર. નવા CMને લઇને સસ્પેન્સ યથાવત છે. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો છે કે સોમ અને મંગળવારે નાગરિકોની રજૂઆત સાંભળે. વલસાડના વાપીમાં હાર્ટ એટેકથી 32 વર્ષિય મહિલાનું મોત થયુ છે. પુત્રના જન્મદિવસની ઉજવણી દરમિયાન હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. રાજ્યમાં 18 સપ્ટેમ્બરથી વરસાદના નવા રાઉન્ડની અંબાલાલ પટેલે કરી આગાહી કરી છે. તેમણે કહ્યું કે 10થી 13 ઓક્ટોબર વચ્ચે વાવાઝોડાની શક્યતા છે.