05 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : નવસારીના ઈટાળવામાં એસટી બસે સર્જયો અકસ્માત, એકનું મોત
- GujaratOthers
- September 5, 2024
- No Comment
- 12
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કેજરીવાલને ED કેસમાં જામીન મળી ચૂક્યા છે, હવે CBI કેસમાં નિર્ણય લેવાનો બાકી છે. વકફ (સુધારા) બિલને લઈને JPCની આજે બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક બે દિવસ સુધી ચાલશે. છેલ્લે મળેલ બેઠકમાં જિન્નાહ, અફઘાનિસ્તાન અને અખંડ ભારતનો પણ ઉલ્લેખ થયો હતો.
અયોધ્યાના ડીએમએ જમીનના સર્કલ રેટમાં 50 થી 200 ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આખરી રેટ લિસ્ટ આજે જાહેર થઈ શકે છે. લોકોએ ફરિયાદ કરી હતી કે તેમને જમીનનું યોગ્ય વળતર મળતું નથી. 2017 થી અયોધ્યામાં સર્કલ રેટના ભાવમાં વધારો થયો નથી. દિલ્હી સરકારે વિન્ટર એક્શન પ્લાનની તૈયારીને લઈને સંબંધિત વિભાગોની બેઠક બોલાવી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સંરક્ષણ તૈયારીઓની સમીક્ષા કરશે અને ઉચ્ચ સ્તરીય સૈન્ય નેતૃત્વને સંબોધશે. આજે દિવસભરના મહત્વના અને મોટા સમાચાર માટે જોડાયેલા રહો.