હું નરેન્દ્ર મોદી… PMએ શપથ લીધા પછી કહ્યું- 140 કરોડ ભારતીયોની સેવા કરવા તૈયાર

હું નરેન્દ્ર મોદી… PMએ શપથ લીધા પછી કહ્યું- 140 કરોડ ભારતીયોની સેવા કરવા તૈયાર

હું નરેન્દ્ર મોદી… PMએ શપથ લીધા પછી કહ્યું- 140 કરોડ ભારતીયોની સેવા કરવા તૈયાર

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લઈને ઈતિહાસ રચ્યો છે. આ સાથે તેઓ આ સિદ્ધિ મેળવનારા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા અને જવાહરલાલ નેહરુ પછી બીજા આવા નેતા બની ગયા છે. બહુ ઓછા લોકોએ વિચાર્યું હશે કે ભાજપનો કોઈ નેતા આ સિદ્ધિ હાંસલ કરી શકશે.

જુઓ પીએમ બન્યા બાદ મોદીએ શું કહ્યું

શપથગ્રહણ બાદ નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, તેમણે આજે સાંજે સમારોહમાં વડાપ્રધાન તરીકે શપથ લીધા. હું 140 કરોડ ભારતીયોની સેવા કરવા અને ભારતને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે મંત્રી પરિષદ સાથે કામ કરવા આતુર છું.

(Credit Source : @narendramodi)

ભારત માટે અવિસ્મરણીય દિવસ : શાહ

જ્યારે અમિત શાહે X પર પોસ્ટ કરીને નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું કે ભારત માટે આ એક અવિસ્મરણીય દિવસ છે, આજે આપણે વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણની યાત્રાના આગલા તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છીએ. મોદીજીના નેતૃત્વમાં NDA સરકાર યુવાનો અને મહિલાઓના સશક્તિકરણ તેમજ ગરીબો અને ખેડૂતોના ઉત્થાન માટે પ્રતિબદ્ધ રહેશે અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણને એકતાના દોરમાં બાંધીને મજબૂત ભારતનું નિર્માણ કરશે.

વિકાસની ગતિ થશે બમણી

તેમજ મધ્યપ્રદેશના મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, દેશની જનતાએ ફરી એકવાર PM મોદીને ભારતનો વિકાસ કરવા માટે આશીર્વાદ આપ્યા છે. અમને બધાને ખૂબ ગર્વ છે. તેમજ બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ કહ્યું કે, તમામ નવનિયુક્ત મંત્રીઓને અભિનંદન. દેશભરમાં લોકો વડાપ્રધાન મોદીના ત્રીજા કાર્યકાળની ઉજવણી કરી રહ્યા છે. વિકાસની ગતિ બમણી થશે.

Related post

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું…

હવામાન વિભાગે વરસાદને લઈને આજે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતની સાથોસાથ રાજસ્થાન અને દિલ્હીમાં પણ ભારે વરસાદને લઈને…
1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત, જાણો કેવો રહેશે અન્ય રાશિના જાતકોનો દિવસ

1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે…

આજનું રાશિફળ : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…
NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના માલિકની ધરપકડ

NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના…

ગુજરાતના ગોધરાના પરવડી ગામમાં નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએશન (NEET-UG)માં કથિત ગેરરીતિઓના કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ જય જલારામ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *