હવે 21 દિવસમાં તમારી કોઈ પણ ફરિયાદોનું નિરાકરણ કરશે સરકાર, જાણો શું છે નવો નિયમ?

હવે 21 દિવસમાં તમારી કોઈ પણ ફરિયાદોનું નિરાકરણ કરશે સરકાર, જાણો શું છે નવો નિયમ?

હવે 21 દિવસમાં તમારી કોઈ પણ ફરિયાદોનું નિરાકરણ કરશે સરકાર, જાણો શું છે નવો નિયમ?

હવે કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ કોઈ ફરિયાદ કરશે તો તેમની ફરિયાદો 21 દિવસમાં ઉકેલવી પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ બાદ સરકારી વિભાગોને આ સૂચના જારી કરવામાં આવી છે. અગાઉ, સરકારી વિભાગોને ફરિયાદોના નિરાકરણ માટે 60 દિવસની સમય મર્યાદા આપવામાં આવી હતી. જેને હવે ઘટાડવામાં આવી છે.

દેશના લોકોની ફરિયાદોના નિરાકરણ માટે પહેલા હતી 30 દિવસની સમય મર્યાદા

જાહેર ફરિયાદોના નિરાકરણ માટે, કેન્દ્ર સરકારે 2020માં સમય મર્યાદા ઘટાડીને 45 દિવસ અને 2022માં 30 દિવસ કરી. હવે તેને 21 દિવસ કરવામાં આવી છે. સરકારને સેન્ટ્રલાઈઝ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (CPGRAMS) પર દર વર્ષે 30 લાખથી વધુ જાહેર ફરિયાદો મળે છે.

ફરિયાદીનો સંપર્ક હવે અધિકારી કરશે

નવી સૂચનાઓ મુજબ, જો ફરિયાદ માટે વધારાના દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય, તો કોઈ ફરિયાદ બંધ કરવામાં આવશે નહીં. CPGRAMS પર, ફરિયાદ અધિકારીઓ નાગરિકોનો સંપર્ક કરી શકે છે અને જરૂરિયાત મુજબ વધારાના દસ્તાવેજો મેળવી શકે છે.

કોઈ પણ સંજોગોમાં ફરિયાદ બંધ કરવામાં આવશે નહીં

‘સરકારના સંપૂર્ણ અભિગમ’ હેઠળ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે ‘તે આ મંત્રાલય/વિભાગ/ઓફિસ સાથે સંબંધિત નથી’ એમ કહીને કોઈ પણ સંજોગોમાં ફરિયાદ બંધ કરવામાં આવશે નહીં. જો ફરિયાદનો વિષય પ્રાપ્ત કરનાર મંત્રાલય સાથે સંબંધિત ન હોય, તો તેને યોગ્ય સત્તાધિકારીને સ્થાનાંતરિત કરવાના પ્રયાસો કરવામાં આવશે.

સરેરાશ 13 દિવસમાં થઈ રહ્યું છે સમાધાન

આ વર્ષે અત્યાર સુધી, કેન્દ્ર સરેરાશ 13 દિવસમાં ફરિયાદોનું નિરાકરણ કરી રહ્યું છે. જુલાઈ 2024માં, કેન્દ્રીય સચિવાલયમાં સતત 25મા મહિને માસિક નિકાલ એક લાખ કેસને વટાવી ગયો. જેના કારણે પેન્ડિંગ કેસોમાં ઘટાડો થયો છે. સરકારના દાવા મુજબ કેન્દ્રીય સચિવાલયમાં પેન્ડિંગ ફરિયાદોની સંખ્યા ઘટીને 66,060 થઈ ગઈ છે. આમાંથી 69% ફરિયાદો 30 દિવસથી ઓછા સમય માટે પેન્ડિંગ છે.

Related post

New Car Series: એવરજમાં અદભૂત છે આ 10 પેટ્રોલ કાર, એક લીટરમાં 28 કિમી સુધી દોડશે આ કાર!

New Car Series: એવરજમાં અદભૂત છે આ 10 પેટ્રોલ…

આજકાલ, પેટ્રોલ કાર સારી માઈલેજ આપી રહી છે અને હાઇબ્રિડ ટેક્નોલોજીના આગમન સાથે ખેલ સંપૂર્ણ બદલાઈ ગયો છે. હાલમાં તમારી પેટ્રોલ…
TATA Invest Plan:  ન્યૂ એનર્જી પર ટાટાનો જોરદાર પ્લાન, 75 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે કંપની, આ શેરમાં આવશે વધારો!

TATA Invest Plan: ન્યૂ એનર્જી પર ટાટાનો જોરદાર પ્લાન,…

દેશની તમામ મોટી કંપનીઓ આગામી કેટલાક વર્ષો માટે ન્યૂ એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગુજરાતમાં ચાલી રહેલા રિ-ઇન્વેસ્ટ 2024…
Experts Bullish: બજારના તોફાની ઉછાળા વચ્ચે આ પાવર શેર થયો ફ્યુઝ, એક્સપર્ટે કહ્યું: ભાવ વધશે

Experts Bullish: બજારના તોફાની ઉછાળા વચ્ચે આ પાવર શેર…

સપ્તાહના બીજા કારોબારી દિવસે મંગળવારે શેરબજારમાં ફરી એકવાર તોફાની ઉછાળો જોવા મળ્યો અને પહેલીવાર સેન્સેક્સ 83000ના આંકને પાર કરી બંધ થયો.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *