હવે જૈન ઉદ્યોગમાંથી ખરીદેલા અથાણામાંથી નીકળી મરેલી ગરોળી, અડધું અથાણું પત્યા બાદ ગ્રાહકને થઇ જાણ, જુઓ Video

હવે જૈન ઉદ્યોગમાંથી ખરીદેલા અથાણામાંથી નીકળી મરેલી ગરોળી, અડધું અથાણું પત્યા બાદ ગ્રાહકને થઇ જાણ, જુઓ Video

જો તમે બહારનું ચટાકેદાર ખાવાના કે બહારથી ચીજવસ્તુઓ લાવીને ખાવાના શોખીન છો, તો ચેતી જજો. તમે જોયું હશે કે રાજ્યમાં થોડા દિવસોથી ખાવામાં અનેક પ્રકારના જીવજંતુઓ નીકળી રહ્યાં છે. પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ખાવું શું એ જ એક મોટો સવાલ થઈ ગયો છે. ત્યારે હવે એક અથાણામાંથી ગરોળી નીકળવાના સમાચાર સામે આવ્યા છે.

અથાણામાંથી નીકળી ગરોળી

ઘટના કઇક એવી છે કે અમદાવાદના આનંદનગર વિસ્તારમાં  હિનાબેન નામના મહિલા એક મહિનાથી અથાણું આરોગી રહ્યાં હતા. એક મહિનો અથાણું ખાધા પછી તેમને ખબર પડી કે આ અથાણામાં તો ગરોળી હતી. જે તેમણે જૈન ગૃહ ઉદ્યોગમાંથી લીધું હતું.

ગ્રાહક સુરક્ષા નંબરમાં કોલ કરતા મળ્યો ઉડાઉ જવાબ

ચોંકાવનારી વાત તો એ છે કે, અથાણાની બરણી પર આપેલા ગ્રાહક સુરક્ષા નંબર પર કોલ કર્યો તો સામેથી ઉડાઉ જવાબ મળ્યો. ગૃહ ઉદ્યોગમાંથી જવાબ મળ્યો કે, શોપ ઉપરથી બેનને નવું અથાણું મળી જશે. હિનાબેને ફુડ સેફ્ટી ટોલ ફ્રિ નંબર પર કોલ કર્યો, પરંતુ ત્યાંથી પણ તેમને કઇક એવો જ જવાબ મળ્યો.

અગાઉ પણ બની આવી અનેક ઘટના

ખોરાકમાં આવી બેદરકારીની ભેળસેળ અનેકવાર સામે આવી છે.  આપણા રાજ્યની જ આવી અનેક ઘટનાઓ છે. ક્યાંક મરેલો વંદો, તો ક્યાંક માખી, ક્યાંક મંકોડો, તો ક્યાંક મરેલી ગરોળી ખોરાકમાં ઝેર ફેલાવી ચૂકી છે. અમદાવાદથી માંડીને સુરત સુધી, રાજકોટથી માંડીને જામનગર સુધી ખોરાકમાં લોલમલોલની ઘટનાઓને અંજામ મળી ચૂક્યો છે. વડોદરામાં પફમાંથી અને ભોજનમાંથી વંદો નિકળવાની ઘટના સર્જાઇ હતી. તો ખિચડી અને શાકમાંથી મરેલી જીવાત નિકળતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. તો અમદાવાદમાં પિઝામાંથી માખી અને દાસ ખમણની ચટણીમાંથી જીવાત નિકળી ચૂકી છે.

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *