સોશિયલ મીડિયામાંથી ‘મોદી કા પરિવાર’ શબ્દ હટાવવા, PM મોદીએ સમર્થકોને કરી અપીલ

સોશિયલ મીડિયામાંથી ‘મોદી કા પરિવાર’ શબ્દ હટાવવા, PM મોદીએ સમર્થકોને કરી અપીલ

સોશિયલ મીડિયામાંથી ‘મોદી કા પરિવાર’ શબ્દ હટાવવા, PM મોદીએ સમર્થકોને કરી અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સોશિયલ મીડિયા યુઝર્સને લોકસભા ચૂંટણીમાં તેમના સમર્થનમાં સોશિયલ મીડિયામાં લખેલ ‘મોદી કા પરિવાર’ને હટાવવાની અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, આપણે બધા એક પરિવાર છીએ તે સંદેશને લોકો સુધી અસરકારક રીતે પહોંચાડ્યા પછી, હું ફરી એકવાર ભારતના લોકોનો આભાર માનું છું અને વિનંતી કરું છું કે તમે હવે તમારા સોશિયલ મીડિયામાંથી ‘મોદી કા પરિવાર’ લખેલા શબ્દને દૂર કરી શકો છો.

તેમણે વધુમાં કહ્યું કે આપણે બધા એક પરિવાર છીએ તે સંદેશ અસરકારક રીતે પહોંચાડ્યા પછી, હું લોકોને વિનંતી કરું છું કે તેઓ હવે તેમના સોશિયલ મીડિયામાંથી ‘મોદી કા પરિવાર’ શબ્દને દૂર કરે. ડિસ્પ્લે નામ બદલાઈ શકે છે, પરંતુ ભારતની પ્રગતિ માટે પ્રયત્નશીલ પરિવાર તરીકે અમારું બંધન મજબૂત અને અતૂટ રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી સમયે, વિપક્ષ દ્વારા નરેન્દ્ર મોદી પર પરિવારને લઈને કરાયેલા શાબ્દિક હુમલાના પ્રતિક વિરોધ રૂપે, કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો, વિવિધ રાજ્યના ભાજપના મુખ્યપ્રધાન, ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓ, પદાધિકારીઓ, કાર્યકરો અને ભાજપના સમર્થકોએ સોશિયલ મીડિયામાં તેમના નામની સાથે મોદી કા પરિવાર શબ્દને જોડ્યો હતો.

Related post

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું…

હવામાન વિભાગે વરસાદને લઈને આજે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતની સાથોસાથ રાજસ્થાન અને દિલ્હીમાં પણ ભારે વરસાદને લઈને…
1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત, જાણો કેવો રહેશે અન્ય રાશિના જાતકોનો દિવસ

1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે…

આજનું રાશિફળ : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…
NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના માલિકની ધરપકડ

NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના…

ગુજરાતના ગોધરાના પરવડી ગામમાં નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએશન (NEET-UG)માં કથિત ગેરરીતિઓના કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ જય જલારામ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *