સુરતમાં મહિને 80 હજાર કમાતી IT એન્જિનિયર મધુલિકાએ બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી કરી લીધી આત્મહત્યા, આ હતુ કારણ-વાંચો

સુરતમાં મહિને 80 હજાર કમાતી IT એન્જિનિયર મધુલિકાએ બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી કરી લીધી આત્મહત્યા, આ હતુ કારણ-વાંચો

સુરતમાં મહિને 80 હજાર કમાતી IT એન્જિનિયર મધુલિકાએ બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી કરી લીધી આત્મહત્યા, આ હતુ કારણ-વાંચો

સુરતના ભટાર રોડ પર આકાશ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતી પરિણિતા મધુલિકા વિકાસ પેરીવાલે 21 જૂનના સાંજે 7.30 વાગ્યા આસપાસ તેની બિલ્ડીંગના છઠ્ઠા માળેથી પડતુ મુકતુ હતુ. જેના કારણે તે ગંભીર રીતે ઈજા પામી હતી અને ઉંચાઈએથી પટકાવાને કારણે તેનુ ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. જો કે છતા તેના બચવાની આશાએ તેના પતિ તેને ગોલ્ડન કેર હોસ્પિટલ લઈ ગયો પરંતુ તબીબે તેમને મૃત જાહેર કરી હતી.

80 હજારની પગારદાર IT એન્જિનિયર પરિણિતાએ ટૂંકાવ્યુ જીવન

શહેરમાં ચકચાક જગાવનારી આ આત્મહત્યાનું કારણ પણ તેનો પતિ જ હોવાનુ સામે આવ્યુ છે. સોફ્ટવેર એન્જિનિયર અને મહિને 80 હજાર કમાનાર મૃતક મધુલિકાના પિતાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. તેમણે પોલીસ સમક્ષ જણાવ્યુ કે મધુલિકાના લગ્ન 30.06.2020 ના રોજ વિકાસ ગોપી કિશન પેરીવાલ સાથે કરાવાયા હતા. લગ્ન વખતે 40 તોલા સોનું-ચાંદી તથા રોકડા એક લાખ રૂપિયા પણ અપાયા હતાં. લગ્નના આઠેક મહિના પછી વિકાસે મધુલિકાને તારા પિતાએ આપેલા એક લાખ રૂપિયામાં તો ખાલી બાથરૂમ જ બની શકે, એમ કહી મહેણા ટોણા મારવા માંડ્યા હતાં

પતિના ત્રાસથી મધુલિકા રહેતી હતી પરેશાન

સોફ્ટવેર ઇજનેર મધુલિકા લગ્નના એકાદ વર્ષ બાદ વરાછાની રામક્રિષ્ના સોસાયટીમાં આવેલી નોવેટર ટેકનોલોજી કંપનીમાં માસિક 80,000 પગારથી નોકરી કરવા માંડી હતી. જો કે આખો પગાર વિકાસ લઇ લેતો હતો. પોતે ઇજનેર હોવા છતાં શંકાશીલ સ્વભાવનો વિકાસ તેણીને નાની-નાની વાત પર હિસાબ કરીને ઝઘડો કરી માર પણ મારતો હતો. મધુલિકાની તબિયત ખરાબ હોવાથી કે અન્ય સામાજિક પ્રસંગો કે તહેવારોમાં પણ પગાર કપાઈ જશે એમ કહી રજા મૂકવા દેતો ન હતો.

20મી જૂને પતિ પૂણેથી આવ્યો અને 21મી જૂને મધુલિકાએ આત્મહત્યા કરી લીધી

પતિ વિકાસ પેરીવાલ રોજ મધુલિકાનો મોબાઇલ ચેક કરી કોલ રેકોર્ડ સાંભળીને મધુલિકાને વધારે હેરાન- પરેશાન કરતો હતો. આ વાત મધુલિકા એ જણાવતાં પિતાએ તેણીના સાસુ સસરા સાથે વાત પણ કરી હતી. પિતા સાથે 20મી તારીખે વીડિયો કોલથી વાત કરનારી મધુલિકાએ તેના પતિ વિકાસ રાતે પૂણેથી આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેના ઘરે આવવા અંગે નારાજગી અને ગભરાહટ તેણીની વાતોમાં જણાતો હતો. આ કોલના બીજા જ દિવસે મધુકિલાએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ રીતે પતિ વિકાસના ત્રાસે મધુલિકાને આપઘાત કરવા મજબૂર કરી હોવાની ફરિયાદ પ્રેમરતન ઝવરે નોંધાવી છે.

આત્મહત્યા પહેલા પતિને કર્યો હતો વોટ્સએપ મેસેજ

મૃતક મધુલિકાએ આત્મહત્યા કરતા પહેલા પતિને કરેલા વોટ્સએપ મેસેજમાં પણ તેણી એવુ જ કહી રહી છે કે હવે તેની સહનશક્તિની હદ આવી ગઈ છે. હવે તે વધુ કંઈ જ સહન કરવાની તેનામાં તાકાત નથી બચી. છેલ્લે તેમણે પતિને વિનંતિ પણ પણ કરી છે કે તેમના પિયરમાંથી આવેલા દાગીના તેમના પિતાને આપી દે. તેની નાની બહેન માટે કામ લાગી જશે. આ એક મેસેજમાં જ પરિણિતા યુવતીનું દર્દ છલકાઈ રહ્યુ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *