સુરક્ષા દળોએ 9 નક્સલીઓને ઠાર કર્યા, જંગી માત્રામાં ઘાતક હથિયારો મળી આવ્યા

સુરક્ષા દળોએ 9 નક્સલીઓને ઠાર કર્યા, જંગી માત્રામાં ઘાતક હથિયારો મળી આવ્યા

સુરક્ષા દળોએ 9 નક્સલીઓને ઠાર કર્યા, જંગી માત્રામાં ઘાતક હથિયારો મળી આવ્યા

છત્તીસગઢમાં નક્સલવાદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સર્ચ ઓપરેશન દરમિયાન દંતેવાડા-બીજાપુર બોર્ડર પર સેનાના જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ ચાલી રહી છે. બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. દંતેવાડા પોલીસના જણાવ્યા અનુસાર 9 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે અને માર્યા ગયેલા તમામ નક્સલવાદીઓ યુનિફોર્મમાં છે. તેમની પાસેથી મોટી માત્રામાં ઘાતક હથિયારો મળી આવ્યા છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં 9 વર્દીધારી નક્સલવાદીઓ માર્યા ગયા છે. ઘટનાસ્થળેથી હથિયારો સહિત મોટી માત્રામાં નક્સલ સામગ્રી મળી આવી છે. અધિકારીએ જણાવ્યું કે દંતેવાડા જિલ્લા અને બીજાપુરના સરહદી વિસ્તાર પર પશ્ચિમ બસ્તર ડિવિઝન નજીક માઓવાદીઓની હાજરીની માહિતી મળી હતી. માહિતી મળતાં જ એક સંયુક્ત પોલીસ પાર્ટીએ સર્ચ ઓપરેશન કર્યું, જે દરમિયાન નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું.

9 યુનિફોર્મધારી નક્સલવાદીઓ માર્યા ગયા

આજે મંગળવારે સવારે લગભગ 10.30 વાગ્યાથી સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, DRG અને CRPFની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી પેટ્રોલિંગ સર્ચ પર ગઈ હતી. સર્ચ દરમિયાન નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું. અત્યાર સુધીમાં 9 ગણવેશધારી અને હથિયારધારી નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, ઓપરેશનમાં સામેલ તમામ સૈનિકો હવે સુરક્ષિત છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.

આ વર્ષે અત્યાર સુધીમાં 154 નક્સલવાદીઓ માર્યા ગયા

છત્તીસગઢમાં સુરક્ષા દળો સતત નક્સલવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. 24 ઓગસ્ટે છત્તીસગઢની મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માર્ચ 2026 સુધીમાં રાજ્યને નક્સલવાદથી સંપૂર્ણ મુક્ત કરવાની વાત કરી હતી. તેમણે સાત રાજ્યોના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને નક્સલવાદીઓને ખતમ કરવાની રણનીતિ ઘડી હતી. દંતેવાડા પોલીસના જણાવ્યા અનુસાર, આ વર્ષે નક્સલવાદીઓ સાથે અલગ-અલગ એન્કાઉન્ટરમાં 154 નક્સલવાદીઓ માર્યા ગયા છે. નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાન તેજ કરવામાં આવ્યું છે.

Related post

પાકિસ્તાને ફરી ઓક્યુ ઝેર, રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું-કાશ્મીરમાં ફરી 370 લાદવા NC-કોંગ્રેસ અમારી સાથે

પાકિસ્તાને ફરી ઓક્યુ ઝેર, રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું-કાશ્મીરમાં…

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે, મોદી સરકાર સામે ઝેર ઓક્યું છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર મોટું નિવેદન આપ્યું છે.…
પેજર શું છે ? કેવી રીતે થાય છે તેમાં બ્લાસ્ટ ? જાણો લેબનોનમાં થયેલા પેજર બ્લાસ્ટ પાછળની હકીકત

પેજર શું છે ? કેવી રીતે થાય છે તેમાં…

18 સપ્ટેમ્બરના રોજ લેબનોન અને સીરિયાના કેટલાક સરહદી વિસ્તારોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા. અચાનક શેરીઓ, બજારો અને ઘરોમાં લોકોના ખિસ્સા અને હાથમાં…
‘અબ તેરા કયા હોગા Vodafone Idea’ સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ શેરની કિંમતમાં 20 ટકાનો ઘટાડો, જુઓ તસવીરો

‘અબ તેરા કયા હોગા Vodafone Idea’ સુપ્રિમ કોર્ટના નિર્ણય…

ટેલિકોમ કંપની વડાફોન આઈડીયાને આજે મોટો ફટકો પડ્યો છે. સુપ્રિમ કોર્ટએ આજે એટલે કે 19 સપ્ટેમ્બરના રોજ ટેલિકોમ કંપની દ્વારા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *