સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારાને ડી કંપનીનો ડર, જેલમાં માંગી સુરક્ષા

સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારાને ડી કંપનીનો ડર, જેલમાં માંગી સુરક્ષા

સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારાને ડી કંપનીનો ડર, જેલમાં માંગી સુરક્ષા

મુંબઈના બાંદ્રામાં આવેલા ફિલ્મ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરે ગોળીબાર કરનારા આરોપીઓને હવે ડી કંપનીથી ડર લાગ્યો છે. ફાયરિંગના આરોપીઓએ દાવો કર્યો છે કે, અન્ય કેસમાં જેલમાં કેદ રહેલા દાઉદ ગેંગના માણસો તેમની હત્યા કરવાની યોજના બનાવી રહ્યા છે. ફાયરિંગના આરોપીઓનું કહેવું છે કે, જેલમાં બંધ દાઉદ ગેંગના માણસો સલમાન ખાનના ઘરે ફાયરિંગથી ખૂબ જ નારાજ છે. જેના કારણે તેમનો જીવ જોખમમાં છે.

મળતી માહિતી મુજબ, ફિલ્મ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવા બદલ લોરેન્સ બિશ્નોઈ ગેંગના માણસો વિકી ગુપ્તા અને સાગર પાલની ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓ હાલ જેલમાં છે. થોડા દિવસ પહેલા જ વિકીનો ભાઈ સાહેબ શાહ ગુપ્તા જેલમાં વિકી ગુપ્તાને મળવા ગયો હતો. જેલની અંદર મુલાકાત દરમિયાન વિક્કીએ તેની સાથે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેણે તેના ભાઈને કહ્યું હતું કે, તેને જેલની અંદર મારી નાખવાની યોજના બનાવવામાં આવી રહી છે અને તેનો જીવ જોખમમાં છે.

સલમાનના ઘર પર ફાયરિંગથી ગુસ્સે

આરોપી વિકીના ભાઈ, સાહેબ શાહ ગુપ્તાએ સમગ્ર મામલાની ફરિયાદ DGP મહારાષ્ટ્ર, કેન્દ્રીય ગૃહ મંત્રાલય, મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલય, જેલ અધિક્ષક અને બિહાર સરકારને પત્ર લખ્યો છે. તેમણે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, દાઉદ ઈબ્રાહિમ ગેંગ સાથે સંકળાયેલા માણસો પણ આ જ જેલમાં બંધ છે. તે સાગર પાલ અને વિકી ગુપ્તાની હત્યાનું કાવતરું ઘડી રહ્યો છે.

પત્રમાં શું લખ્યું છે?

પત્રમાં સલમાન ખાન પર એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે, સલમાન ખાને પોતાના ફિલ્મ સુપરસ્ટાર તરીકેના પ્રભાવનો ઉપયોગ કરીને તપાસ કરનાર અધિકારી પાસે યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના ચાર્જશીટ દાખલ કરાવી છે. ચાર્જશીટમાં કેટલાક વધારાની કલમો પણ ઉમેરવામાં આવી છે. આરોપી અનુજ થાપનની હત્યાની જાણકારી મીડિયા થકી મળી હતી જે શંકાસ્પદ પરિસ્થિતિઓમાં થઈ હતી. આ આરોપો બાદ વિકી ગુપ્તા અને સાગર પાલને પણ પત્રમાં સારા લોકો ગણાવ્યા છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, બંનેના પરિવાર તેમના પર નિર્ભર છે. તેમને જેલની અંદર પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવે.

Related post

સહારામાં રોકાણ કરનારાઓને મોટી રાહત, હવે 10 હજારની બદલે મળશે આટલા રૂપિયા

સહારામાં રોકાણ કરનારાઓને મોટી રાહત, હવે 10 હજારની બદલે…

સહારા ગ્રુપ સહકારી મંડળીઓના નાના થાપણદારોને સરકારે મોટી રાહત આપી છે. સરકારે હવે આ રોકાણકારોને આપવામાં આવેલી રકમમાં વધારો કર્યો છે.…
Stake Reduce: આ સરકારી કંપનીના રોકાણકારો માટે મોટા સમાચાર, ગવર્મેન્ટ 7% ભાગ ઘટાડશે, DIPAMની મળી મંજૂરી

Stake Reduce: આ સરકારી કંપનીના રોકાણકારો માટે મોટા સમાચાર,…

આ કંપની સંબંધિત મોટા સમાચાર બુધવારે અને 18 સપ્ટેમ્બરના રોજ આવ્યા છે. કંપનીને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)…
પોક્સોના કેસમાં ગુનો બન્યાના 3 વર્ષમાં જ કોર્ટે આરોપીને 20 વર્ષની સજા સંભળાવી

પોક્સોના કેસમાં ગુનો બન્યાના 3 વર્ષમાં જ કોર્ટે આરોપીને…

અમદાવાદની ભોગ બનનાર પીડિતા અને આરોપી જયેન્દ્ર પરમાર ઈન્સ્ટાગ્રામ પરથી એક બીજાના પરિચયમાં આવ્યા હતા. સગીરા અને આરોપી બંને દિવ્યાંગ (સાંભળી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *