સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા, નર્મદા નદીમાં વહ્યાં ઘૂઘવતાં પૂર, 42 ગામને કરાયા એલર્ટ, જુઓ વીડિયો

સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા, નર્મદા નદીમાં વહ્યાં ઘૂઘવતાં પૂર, 42 ગામને કરાયા એલર્ટ, જુઓ વીડિયો

મધ્ય પ્રદેશમાં વરસેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી છોડાઈ રહેલા પાણીને કારણે, સરદાર સરોવરમાં નવા પાણીની વિપૂલ માત્રામાં આવક થવા પામી છે. સરદાર સરોવર નર્મદા બંધમાં જળસપાટી 135. 30 મીટરહે પહોચી જવા પામી છે. ઉપરવાસમાંથી થઈ રહેલ 3,37,367 ક્યુસેક પાણીની આવકને ધ્યાને લઈને સત્તાવાળાઓએ સરદાર સરોવરના 23 દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો છે.

સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા 2.2 મીટર ખોલવામાં આવતા, નર્મદા નદીમાં ઘૂઘવતા પૂર વહી રહ્યાં છે. નર્મદા નદીમાં આશરે ચાર લાખ ક્યુસેક જેટલુ પાણી છોડવામા આવી રહ્યું છે. જેના કારણે હેઠવાસમાં આવેલ ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના 42  ગામને એલર્ટ કરાયા છે.

વર્તમાન ચોમાસા પ્રથમવાર સરદાર સરોવરના 23 દરવાજા 2.2 મીટર સુધી ખોલવામા આવ્યા છે. હાલ સરદાર સરોવર બંધમાં 3,37367 ક્યુસેક પાણી ની આવક સામે નર્મદા નદીમાં 3,95000 ક્યુસેક પાણીની જાવક છે. નર્મદા ડેમમાં કુલ 4740.60 મીલીયન કયુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.

 

 

Related post

સહારામાં રોકાણ કરનારાઓને મોટી રાહત, હવે 10 હજારની બદલે મળશે આટલા રૂપિયા

સહારામાં રોકાણ કરનારાઓને મોટી રાહત, હવે 10 હજારની બદલે…

સહારા ગ્રુપ સહકારી મંડળીઓના નાના થાપણદારોને સરકારે મોટી રાહત આપી છે. સરકારે હવે આ રોકાણકારોને આપવામાં આવેલી રકમમાં વધારો કર્યો છે.…
Stake Reduce: આ સરકારી કંપનીના રોકાણકારો માટે મોટા સમાચાર, ગવર્મેન્ટ 7% ભાગ ઘટાડશે, DIPAMની મળી મંજૂરી

Stake Reduce: આ સરકારી કંપનીના રોકાણકારો માટે મોટા સમાચાર,…

આ કંપની સંબંધિત મોટા સમાચાર બુધવારે અને 18 સપ્ટેમ્બરના રોજ આવ્યા છે. કંપનીને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)…
પોક્સોના કેસમાં ગુનો બન્યાના 3 વર્ષમાં જ કોર્ટે આરોપીને 20 વર્ષની સજા સંભળાવી

પોક્સોના કેસમાં ગુનો બન્યાના 3 વર્ષમાં જ કોર્ટે આરોપીને…

અમદાવાદની ભોગ બનનાર પીડિતા અને આરોપી જયેન્દ્ર પરમાર ઈન્સ્ટાગ્રામ પરથી એક બીજાના પરિચયમાં આવ્યા હતા. સગીરા અને આરોપી બંને દિવ્યાંગ (સાંભળી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *