શુભમન ગિલ અને રોહિત શર્મા વચ્ચે થઈ અણબન? T20 વિશ્વકપ ટીમથી રિલિઝ કરાયો
- GujaratOthers
- June 15, 2024
- No Comment
- 18
T20 વિશ્વકપની ગૃપ મેચનો તબક્કો હવે પૂર્ણતાને આરે છે. ભારતીય ટીમે પણ આ તબક્કામાં પોતાની અંતિમ મેચ રમવાની છે. આ દરમિયાન હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, શુભમન ગીલને ભારત પરત ફરવા માટે ટીમ ઈન્ડિયાથી રિલિઝ કરવામાં આવ્યો છે. શિસ્તભંગ બદલ આ નિર્ણય કરવામાં આવ્યો હોય એવી પણ ચર્ચાઓ શરુ થઈ છે.
શુભમન ગિલ અને ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા વચ્ચે પણ અણબન શરુ થઈ હોવાની પણ આ વચ્ચે ચર્ચાઓ શરુ થઈ છે. જોકે મીડિયા રિપોર્ટસ સહિતની આ ચર્ચા હવે આગની જેમ ફેલાવા લાગી છે. તો બીજી તરફ એવા પણ મુદ્દાઓને ટાંકવામાં આવી રહ્યા છે, જે ટી20 વિશ્વકપ દરમિયાન અમેરિકામાં નજર આવ્યા હોય.
આ પણ વાંચો: પાકિસ્તાનને બેવડો ઝટકો! ભારતમાં રમાનાર T20 વિશ્વકપમાં નહીં મેળવી શકે સીધી એન્ટ્રી, જાણો કેમ