![શું તમે પણ નળમાંથી આવતા ગરમ પાણીથી સ્નાન કરો છો ? તો સાવધાન, થઈ શકે છે આ સમસ્યાઓ](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/06/195551-874257289-750252399-618226-424512352246278979145-715908193133-882415.jpg)
શું તમે પણ નળમાંથી આવતા ગરમ પાણીથી સ્નાન કરો છો ? તો સાવધાન, થઈ શકે છે આ સમસ્યાઓ
- GujaratOthers
- June 3, 2024
- No Comment
- 16
આ દિવસોમાં ગીઝર વગર પણટાંકીઓ અને નળમાંથી આવતુ પાણી ઉકળતુ અને ગરમ હોય છે. ન્હાવા માટે નળ ખોલતાં જ એકદમ ગરમ પાણી બહાર આવે છે. આવી સ્થિતિમાં ઉનાળામાં આવા પાણીમાં નહાવાથી રાહત મળવાને બદલે ત્વચાને વધારે નુકસાન થવા લાગે છે. ગરમીના કારણે ટાંકી કે લાઈન દ્વારા આવતુ પાણી ગરમ હોય છે. આથી આવા પાણીથી નહાવું સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. જેના કારણે તમે ઘણી બીમારીઓનો શિકાર બની શકો છો.
ડૉક્ટર્સ કહે છે કે આ દિવસોમાં નળમાંથી ઉકળતું પાણી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઉનાળામાં, નળમાંથી આવતા પાણીનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધી જાય છે. આ પાણી ટાંકીમાં આખી રાત ભરવામાં આવે તો પણ ઠંડુ પડતું નથી. આ પાણીથી નહાવાથી કે મોં ધોવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે.
ઉનાળામાં, જો તમે આવા પાણીથી ચહેરો કે વાળ ધોવો છો કે સ્નાન કરો છો તો તેનાથી વાળ વધારે ખરવા લાગે છે આ સાથે ચહેરાની ત્વચાને બાળી શકે છે. તેનાથી ત્વચા પર પિગમેન્ટેશન વધે છે.
ઘણી વખત આવા ગરમ પાણી નાકની અંદરના મ્યુકોસાને બાળી નાખે છે અને નાકમાં બળતરા પેદા કરી શકે છે.ગરમ પાણી કાનની અંદર જાય તો મીણને ઓગાળી શકે છે. જેના કારણે કાનમાં વેક્સ પ્રવેશી શકે છે અને કાનમાં દુખાવો થાય છે.
આવા ગરમ પાણીથી નહાવાથી મહિલાઓમાં માસિક ધર્મ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આવું પાણી હાથ-પગમાં બળતરા કરી શકે છે અને તેનાથી શુષ્ક ત્વચાની સમસ્યા થઈ શકે છે.
કેવી રીતે ઠંડુ કરવું પાણી : આવા ગરમ પાણીથી ચહેરો બિલકુલ ન ધોવો અને સ્નાન કરવાનું ટાળો. આ માટે રાત્રે બાથરૂમમાં 1-2 ડોલ પાણી ભરી રાખો. આ પાણી સવાર સુધીમાં ઠંડુ થઈ જશે. આનાથી તમે સ્નાન કરી શકો છો. આ સાથે જો લાઈન દ્વારા તમારા ઘરના નળમાંથી આવતુ પાણી ગરમ હોય છે તો થોડું જવાદો પછી જુઓ પાણી ઠંડુ થયુ કે નહી તે બાદ નહાવો