શું છે કોલ્ડપ્લે, જેનો ભારતમાં ખૂબ જ ક્રેઝ છે, ટિકિટોના ભાવ છે 3 લાખથી 7 રુપિયા

શું છે કોલ્ડપ્લે, જેનો ભારતમાં ખૂબ જ ક્રેઝ છે, ટિકિટોના ભાવ છે 3 લાખથી 7 રુપિયા

શું છે કોલ્ડપ્લે, જેનો ભારતમાં ખૂબ જ ક્રેઝ છે, ટિકિટોના ભાવ છે 3 લાખથી 7 રુપિયા

ભારતમાં કોલ્ડપ્લેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેના મુંબઈ કોન્સર્ટની ટિકિટ મેળવવા માટે લોકો કલાકો લાઈનમાં ઉભા રહે છે. ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે પણ લોકોમાં ભાગદોડ મચી છે. ગ્રેમી વિજેતા રોક બેન્ડ પોતાના મ્યુઝિક ઓફ ધ સ્ફીયર્સ વર્લ્ડ ટુર હેઠળ જાન્યુઆરી 2025માં મુંબઈમાં 3 શો કરવા માટે તૈયાર છે. કોલ્ડપ્લેની ટિકિટો એટલી મોંઘી હતી કે, બેન્ડે 18 અને 19 જાનિયુઆરી સાથે લાઈનઅપમાં 21 જાન્યુઆરીના રોજ ત્રીજો શો પણ જોડી દીધો છે.

ચાહકોને ટિકિટ ન મળતા નિરાશ થયા

ત્રીજા શો બાદ પણ લાખો ચાહકોને ટિકિટ ન મળતા નિરાશ થયા છે.તો ચાલો આજે આપણે જાણીએ કે, આ કોલ્ડપ્લે શું છે જેનો આટલો મોટો ક્રેઝ જોવા મળી રહ્યો છે.ટિકિટ બુકિંગ માટે એકમાત્ર પ્લેટફોર્મ બુક માય શો પર કોલ્ડપ્લેની ટિકિટ વેંહચાય ચૂકી છે પરંતુ કેટલાક રી-સેલિંગ પ્લેટફોર્મ છે, જે ટિકિટોને મોંઘા ભાવે વેંચાઈ રહી છે.વિયાગોગા જેવા રી-સેલિંગ પ્લેટફોર્મ પર કોલ્ડપ્લેની ટિકિટ 3 લાખ રુપિયા સુધીમાં વેંચાઈ રહી છે.બુક માય શોએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે અન્ય કોઈ પ્લેટફોર્મ પરથી ખરીદેલી ટિકિટો અમાન્ય થઈ જશે.

શું છે આ કોલ્ડપ્લે ?

કોલ્ડપ્લે એક બ્રિટિશ રોક બેન્ડ છે.જેની રચના વર્ષ 1997માં થઈ હતી. પાંચ લોકોની ટીમમાં ગાયક અને પિયાનોવાદક ક્રિસ માર્ટિન, ગિટારવાદક જોની બકલેન્ડ, બાસિસ્ટર ગાય બેરીમન, ડ્રમર અને પર્ક્યુસિનિસ્ટ વિલ ચેમ્પિયન અને મેનેજર ફિલ હાર્વ સામેલ છે. જેમાંથી 4 સ્ટેજ પરફોર્મ કરે છે. તેનો લાઈવ કોન્સર્ટ જોવા માટે લોકો મોટી સંખ્યમાં પહોંચી જાય છે. તેના પર્ફોર્મન્સનો અંદાજ અન્ય રોક બેન્ડથી ખુબ અલગ હોય છે. આ બેન્ડની શરુઆત કોલેજના દિવસોમાં શરુ થઈ હતી.તેમના પોતાના શાનદાર ગીતો માટે તેને ગ્રેમી એવોર્ડ પણ મળી ચૂક્યો છે. જે મ્યુઝિકનો સૌથી મોટો એવોર્ડ હોય છે.

કોલ્ડપ્લે દુનિયાભરની સૌથી મોટી પાવરફુલ બેન્ડ તરીકે પ્રખ્યાત છે. આ બેન્ડે વર્ષ 2016માં પહેલી વખત પરફોર્મ કર્યું હતુ. જેના 9 વર્ષ બાદ ફરીથી મુંબઈમાં કોન્સર્ટ કરવા જઈ રહ્યું છે. આ કોન્સર્ટની ટિકિટ બુકિંગ બુક માય શોમાં થાય છે.

Related post

નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી તબાહી, 112 લોકોના મોત, સેંકડો ઘરો ડૂબ્યા, જુઓ-Photo

નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી તબાહી, 112 લોકોના મોત, સેંકડો…

નેપાળમાં પૂર અને વરસાદે તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં 112 લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. 68થી…
કોઈ ચોરીછુપે તો નથી વાપરી રહ્યું તમારું WhatsApp એકાઉન્ટ? કેટલા ડિવાઈઝ પર છે એક્ટિવ જાણો અહીં

કોઈ ચોરીછુપે તો નથી વાપરી રહ્યું તમારું WhatsApp એકાઉન્ટ?…

વોટ્સએપ એક એવી એપ છે જે આજે દરેક ફોનમાં ઈન્સ્ટોલ છે. એકબીજાને મેસેજ કરવાથી લઈને કૉલ કરવા અને વીડિયો અને મહત્વપૂર્ણ…
આજનું હવામાન : અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પવન સાથે ધોધમાર વરસાદની કરી આગાહી, જુઓ Video

આજનું હવામાન : અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પવન…

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી કેટલાક કલાક અનેક વિસ્તારમાં ધોધમાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *