શાહીન આફ્રિદીને PCBએ બતાવ્યો બહારનો રસ્તો, બાબર આઝમ પર પણ લટકી તલવાર!

શાહીન આફ્રિદીને PCBએ બતાવ્યો બહારનો રસ્તો, બાબર આઝમ પર પણ લટકી તલવાર!

શાહીન આફ્રિદીને PCBએ બતાવ્યો બહારનો રસ્તો, બાબર આઝમ પર પણ લટકી તલવાર!

બાંગ્લાદેશ વિરૂદ્ધ રાવલપિંડી ટેસ્ટ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 12 ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં ટીમના મુખ્ય ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીનું નામ નથી. બોર્ડે તેને શ્રેણીની બીજી અને છેલ્લી મેચમાં બહાર બેસાડવાનો નિર્ણય લીધો છે. પ્રથમ મેચમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને 10 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો હતો. હવે પાકિસ્તાનને શ્રેણી 1-1થી બરાબર કરવા માટે બીજી મેચ જીતવી જરૂરી છે.

શાહીન કેમ બહાર થયો?

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ માટે પસંદગી ન થવા પાછળ કોઈ કારણ આપવામાં આવ્યું નથી. જો કે, તેને ટીમમાં સામેલ ન કરવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. પહેલું કારણ તેનું પ્રદર્શન છે. પાકિસ્તાનની ટીમે પ્રથમ ટેસ્ટમાં પોતાના ઝડપી બોલરો પર ભરોસો રાખ્યો હતો. કેપ્ટન શાન મસૂદે ગ્રીન ટોપ વિકેટ પર 4 ફાસ્ટ બોલરોને આઉટ કર્યા હતા. જોકે, પિચ ફાસ્ટ બોલરોને મદદ કરી શકી ન હતી.

 

શાહીન આફ્રિદીનું એવરેજ પ્રદર્શન

શાહીન આફ્રિદી પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ તેણે ઘણા નિરાશ કર્યા હતા. શાહીનની બોલિંગમાં કોઈ ધાર ન હતી. શાહીન નવા બોલને સ્વિંગ કરવા માટે જાણીતો છે, પરંતુ પહેલી ટેસ્ટ મેચમાં બોલને સ્વિંગ કારેવાનું તો છોડો તેની બોલિંગ સ્પીડ પણ ઘણી ઓછી રહી હતી. તેણે આ મેચમાં 32 ઓવર નાખી અને માત્ર 2 વિકેટ જ લઈ શક્યો હતો.

 

શાહીન આફ્રિદી પહેલા બાળકનો પિતા બન્યો

બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ મેચ દરમિયાન શાહીન આફ્રિદી પોતાના પહેલા બાળકનો પિતા પણ બન્યો હતો. મેચ પુરી થયા બાદ તે તેના પરિવારને મળવા માટે નીકળી ગયો હતો. બાદમાં તેના કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા, જેમાં તે બાળકોને રમાડતો જોવા મળ્યો હતો. કદાચ આ જ કારણ છે કે તેણે બીજી મેચમાંથી રજા લઈ લીધી છે. જો કે, PCBએ આમાંથી કોઈ પણ કારણની પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચો: જય શાહ બન્યા ICC અધ્યક્ષ, હવે ટીમ ઈન્ડિયા જશે પાકિસ્તાન, પૂર્વ ક્રિકેટરનો મોટો દાવો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

સહારામાં રોકાણ કરનારાઓને મોટી રાહત, હવે 10 હજારની બદલે મળશે આટલા રૂપિયા

સહારામાં રોકાણ કરનારાઓને મોટી રાહત, હવે 10 હજારની બદલે…

સહારા ગ્રુપ સહકારી મંડળીઓના નાના થાપણદારોને સરકારે મોટી રાહત આપી છે. સરકારે હવે આ રોકાણકારોને આપવામાં આવેલી રકમમાં વધારો કર્યો છે.…
Stake Reduce: આ સરકારી કંપનીના રોકાણકારો માટે મોટા સમાચાર, ગવર્મેન્ટ 7% ભાગ ઘટાડશે, DIPAMની મળી મંજૂરી

Stake Reduce: આ સરકારી કંપનીના રોકાણકારો માટે મોટા સમાચાર,…

આ કંપની સંબંધિત મોટા સમાચાર બુધવારે અને 18 સપ્ટેમ્બરના રોજ આવ્યા છે. કંપનીને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)…
પોક્સોના કેસમાં ગુનો બન્યાના 3 વર્ષમાં જ કોર્ટે આરોપીને 20 વર્ષની સજા સંભળાવી

પોક્સોના કેસમાં ગુનો બન્યાના 3 વર્ષમાં જ કોર્ટે આરોપીને…

અમદાવાદની ભોગ બનનાર પીડિતા અને આરોપી જયેન્દ્ર પરમાર ઈન્સ્ટાગ્રામ પરથી એક બીજાના પરિચયમાં આવ્યા હતા. સગીરા અને આરોપી બંને દિવ્યાંગ (સાંભળી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *