વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના PM શેખ હસીના વચ્ચે આજે થશે મુલાકાત, જાણો આ મુલાકાતનું શું છે મહત્વ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના PM શેખ હસીના વચ્ચે આજે થશે મુલાકાત, જાણો આ મુલાકાતનું શું છે મહત્વ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના PM શેખ હસીના વચ્ચે આજે થશે મુલાકાત, જાણો આ મુલાકાતનું શું છે મહત્વ

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની બે દિવસીય મુલાકાતે છે. દિલ્હી પહોંચેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આજે પીએમ નરેન્દ્ર મોદીને મળશે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની 15 દિવસમાં ભારતની આ બીજી મુલાકાત છે.આ પહેલા શેખ હસીનાએ 9 જૂને વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. આજે પીએમ મોદી અને શેખ હસીના વચ્ચે રેલવે, ઉર્જા અને કનેક્ટિવિટી સહિત અન્ય ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થઈ શકે છે.

તિસ્તાના પાણી વિતરણના માસ્ટર પ્લાન પર પણ ચર્ચા થઈ શકે છે. શેખ હસીના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પણ મુલાકાત કરવાના છે. તેમના વર્તમાન પ્રવાસને ઢાકા-દિલ્હી અને બેઇજિંગ વચ્ચે સંતુલન સાધવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે. ગઈકાલે દિલ્હીમાં તેઓ વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા બાંગ્લાદેશ સાથેના સંબંધોને વિશેષ મહત્વ આપ્યું છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે પીએમ મોદીના સંબંધો ખૂબ જ સૌહાર્દપૂર્ણ રહ્યા છે. આ વખતે પણ શેખ હસીનાએ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. વડાપ્રધામ નરેન્દ્ર મોદીએ ગત વર્ષે G20 કોન્ફરન્સ દરમિયાન બાંગ્લાદેશને અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું, જે નવ દેશોમાંથી બાંગ્લાદેશ એકમાત્ર દક્ષિણ એશિયાઈ દેશ હતો. ભારતની નેબર ફર્સ્ટ નીતિ હેઠળ બાંગ્લાદેશ એક મહત્વપૂર્ણ ભાગીદાર છે.

આ મુલાકાત કેટલી મહત્વની છે ?

મોદી સરકાર 3.0 ના શપથ લીધા પછી, શેખ હસીના દિલ્હીની મુલાકાત લેનારા પ્રથમ રાષ્ટ્રાધ્યક્ષ છે. 15 દિવસમાં આ તેમની બીજી ભારત મુલાકાત છે. જેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે બંને દેશો વચ્ચે મિત્રતા કેટલી મહત્વપૂર્ણ છે. ભારત માટે બાંગ્લાદેશ ખૂબ જ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. જેના કારણે બાંગ્લાદેશમાં ચીનની રણનીતિ નિષ્ફળ થઈ શકે છે. આ પ્રવાસ બાદ શેખ હસીના ચીન જશે. આનાથી ઘણા અર્થો પણ લેવામાં આવી રહ્યા છે કારણ કે બાંગ્લાદેશ દક્ષિણ એશિયામાં ભારતનો મોટો વેપાર ભાગીદાર છે.

શું છે ભારત-બાંગ્લાદેશ એજન્ડા ?

પીએમ મોદી અને શેખ હસીના વચ્ચેની બેઠક દરમિયાન અનેક મહત્વપૂર્ણ કરારો પર ચર્ચા થઈ શકે છે. જેમાં તિસ્તા જળ સમજૂતી, ક્રોસ બોર્ડર કનેક્ટિવિટી વધારવા પર ભાર, મ્યાનમારમાં સુરક્ષા સ્થિતિ પર ચર્ચા, આર્થિક અને વેપાર મુદ્દાઓ પર વાતચીત, વેપાર પર સર્વસંમતિ સુધી પહોંચવાના પ્રયાસો અને કનેક્ટિવિટી વધારવાનો સમાવેશ થાય છે.

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *