લોયર, એડવોકેટ અને બેરિસ્ટર વચ્ચે શું છે તફાવત ? જાણો

લોયર, એડવોકેટ અને બેરિસ્ટર વચ્ચે શું છે તફાવત ? જાણો

લોયર, એડવોકેટ અને બેરિસ્ટર વચ્ચે શું છે તફાવત ? જાણો

તમે દરરોજ વકીલાતને લગતા ઘણા શબ્દો સાંભળતા હશો. જેમાંથી વકીલ, બેરિસ્ટર અને એડવોકેટ શબ્દો સૌથી સામાન્ય છે. હવે તમને સવાલ થતો હશે કે શું આ ત્રણેય શબ્દો એક જ છે ? ત્યારે આ લેખમાં જાણીશું કે, આ ત્રણેય શબ્દોનો અર્થ શું છે અને આ શબ્દો વચ્ચેનો તફાવત શું છે.

લોયર

જે વ્યક્તિએ કાયદાની ડિગ્રી મેળવી હોય તેને લોયર કહી શકાય. જેમકે LLB અથવા LLMની ડિગ્રી મેળવી હોય તેને લોયર કહી શકાય. કોરસ્પોન્ડિંગ કોર્ષ દ્વારા પણ જો કાયદાની ડિગ્રી મેળવી હોય તો તે વ્યકિત લોયર ગણાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ IGNOU માંથી કાયદાની ડિગ્રી મેળવે છે, તો તે લોયર ગણાય છે.

લોયર માત્ર કોઈપણ વ્યક્તિને કાયદાકીય સલાહ આપી શકે છે, કોર્ટમાં રિપ્રેઝન્ટ કરી શકતા નથી. લોયર કોઈપણ લિગલ ફર્મ, લિગલ ડિપાર્ટમેન્ટમાં કામ કરી શકે છે, પરંતુ કોર્ટમાં રિપ્રેઝન્ટ કરી શકતા નથી. આ ઉપરાંત લોયર કોઈપણ પ્રાઈવેટ કંપનીની લિગલ ટીમમાં કામ કરી શકે છે, પરંતુ કોર્ટમાં રિપ્રેઝન્ટ કરી શકતા નથી.

એડવોકેટ

એડવોકેટ બનવા માટે તમારી પાસે HSC બાદ 5 વર્ષ અથવા તો બેચલર પછી 3 વર્ષની ફુલ ટાઈમ કાયદાની ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત એડવોકેટ બનવા માટે તમારે AIBE (All India Bar Examination)ની પરીક્ષા પાસ કરવી પણ જરૂરી છે.

કાયદાનો અભ્યાસ કર્યા બાદ એડવોકેટ કોર્ટમાં વકીલાત કરી શકે છે. એટલે કે, તે કોઈ વ્યકિત માટે કોર્ટમાં કેસ લડી શકે છે. એડવોકેટ એટલે કે, સત્તાવાર વક્તા જેને કોઈના વતી બોલવાનો અધિકાર છે. એડવોકેટનો જે ડ્રેસ છે, તે ફક્ત એડવોકેટ જ પહેરી શકે છે, લોયર પહેરી શકતા નથી.

બેરિસ્ટર

બેરિસ્ટર પણ લોયર જ છે. આ બંને વચ્ચેનો તફાવત એટલો જ છે કે ભારતીય કોલેજોમાંથી કાયદાની ડિગ્રી મેળવનારને લોયર કહેવામાં આવે છે. તો જેમણે ઈંગ્લેન્ડની કોલેજોમાંથી વકીલાતની ડિગ્રી મેળવી છે તેમને બેરિસ્ટર કહેવામાં આવે છે. માત્ર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ફરક છે. ભારતના ઘણા મહાન લોકોએ ઈંગ્લેન્ડમાંથી બેરિસ્ટરની પદવી મેળવી છે.

Related post

પોરબંદરમાં પાટીલે એવું કેમ કહ્યું કે રાજ્યસભાના સાંસદ રામભાઇ નેતા ક્યાંના રાજકોટના કે પોરબંદરના ? જુઓ Video

પોરબંદરમાં પાટીલે એવું કેમ કહ્યું કે રાજ્યસભાના સાંસદ રામભાઇ…

આ મુદ્દો એટલા માટે ઉઠ્યો જ્યારે પોરબંદરમાં શહેર ભાજપ કાર્યાલયના ઉદ્દધાટન કાર્યક્રમમાં જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર…
TMKOC: વિવાદો વચ્ચે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બે કલાકારોની એન્ટ્રી, નામ સાંભળીને લોકો થઈ જશે ખુશ!

TMKOC: વિવાદો વચ્ચે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બે…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષથી લોકોને હસાવી રહી છે. બાળકોથી લઈને પુખ્ત વયના લોકો આ શોને ખૂબ જ…
બિઝનેસ અલગ કરશે આ કંપની, IPO લાવવાની જાહેરાત, શેરમાં 20%ની અપર સર્કિટ, કિંમત આવી 34 રૂપિયા પર

બિઝનેસ અલગ કરશે આ કંપની, IPO લાવવાની જાહેરાત, શેરમાં…

માઇક્રોકેપ કંપનીના શેર આજે સોમવારે અને 16 સપ્ટેમ્બરના રોજ ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં હતા. આજે સોમવારે અને 16 સપ્ટેમ્બરના રોજ કંપનીના શેરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *