રોહિતની માતાએ વર્લ્ડ ચેમ્પિયન પુત્રને મળવા માટે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ છોડી,  જુઓ વીડિયો

રોહિતની માતાએ વર્લ્ડ ચેમ્પિયન પુત્રને મળવા માટે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ છોડી, જુઓ વીડિયો

રોહિતની માતાએ વર્લ્ડ ચેમ્પિયન પુત્રને મળવા માટે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ છોડી,  જુઓ વીડિયો

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા 29 જુલાઈના રોજ બારબાડોસમાં વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ત્યારેથી ટીમ દરેક દેશવાસીઓ રાહ જોઈ રહ્યા હતા કે, ક્યારે વર્લ્ડ ચેમ્પિયન ટીમ વતન પરત ફરે, 4 જુલાઈના રોજ ભારતીય ટીમ દિલ્હી પહોંચી હતી ત્યાં ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી પછી સીધી મુંબઈ માટે ટીમ રવાના થઈ હતી. રોહિત શર્મા ટીમ સાથે અંદાજે 1 મહિનાથી દુર હતા. આટલા દિવસ તેની પત્ની તો સાથે હતી પરંતુ માતા અને પિતાથી દુર હતો. 1 મહિના બાદ દિકરાને જોતા જ રોહિત શર્માની માતા ઈમોશનલ થઈ હતી. આ દરમિયાન તેના પિતા પણ હાજર હતા.

 

 

માતાએ ડૉક્ટરની અપોઈમેન્ટ પણ છોડી હતી

4 જુલાઈનો દિવસ દેશવાસીઓ માટે ખુબ ખાસ હતો. આ દિવસ રોહિત શર્માની માતા માટે પણ ખાસ હતો કારણ કે, એક મહિના બાદ દિકરાને મળ્યા હતા. તેનો દિકરો વર્લ્ડ ચેમ્પિયન બની પરત ફર્યો હતો અને આખો દેશ તેને સલામ કરી રહ્યો હતો. રોહિત શર્માની માતા પણ દિકરાને આ ખુશીના માહૌલમાં જોવા વાનખેડે સ્ટેડિયમ પહોંચી હતી. એક ઈન્ટરવ્યુમાં રોહિત શર્માની માતા પૂર્ણિમા શર્માએ કહ્યું કે, તેની તબિયત સારી નથી અને ડોક્ટરની સાથે અપોઈમેન્ટ હતી. પરંતુ તેના દિકરાનો આ ખાસ દિવસનું સેલિબ્રેશન મિસ કરવા માંગતી ન હતી.

 

 

રોહિતે ટીમ ઈન્ડિયાના ચાહકોના વખાણ કર્યા

આ દિવસ માટે તેનો પરિવાર લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એટલા માટે આ ખુશીમાં સામેલ થવા માટે રોહિત શર્માની માતા હોસ્પિટલ છોડી સ્ટેડિયમ પહોંચી હતી.ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપની જીત પર કહ્યું કે કેવી રીતે આ ક્ષણ તેમના માટે ખૂબ જ ખાસ છે. રોહિતે કહ્યું કે આ દેશમાં આ વર્લ્ડ કપ લાવવો ખૂબ જ ખાસ છે. રોહિતે ટીમ ઈન્ડિયાના ચાહકોના વખાણ કર્યા અને ખાસ કરીને મુંબઈના ફેન્સની પ્રશંસા કરી હતી.

Related post

શબાના આઝમીએ Amitabh વિશે કેમ કહ્યું આવું? ‘મરતે દમ તક…’

શબાના આઝમીએ Amitabh વિશે કેમ કહ્યું આવું? ‘મરતે દમ…

Shabana Azmi : ભારતની સર્વશ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક શબાના આઝમી તેની બીજી ઈનિંગને ખૂબ એન્જોય કરી રહી છે. ગયા વર્ષે તેણે બોલિવૂડમાં…
બાબા બાગેશ્વરનું બાળપણ ગરીબીમાં પસાર થયું, પરિવારમાં સૌથી મોટા છે ધીરેન્દ્ર શાસ્ત્રી આવો છે પરિવાર

બાબા બાગેશ્વરનું બાળપણ ગરીબીમાં પસાર થયું, પરિવારમાં સૌથી મોટા…

બાગેશ્વર ધામ સરકારથી ઓળખાતા કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત મુલાકાતે પણ આવી ચુક્યા છે.બાગેશ્વર ધામ સરકાર ગુજરાતના વિવિધ શહેરોમાં કથાવાર્તા સાથે દિવ્ય…
8 July 2024 રાશિફળ : આ 3 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં રાખે ખાસ કાળજી

8 July 2024 રાશિફળ : આ 3 રાશિના જાતકોને…

આજનું રાશિફળ : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *