રામાયણના લક્ષ્મણનો આયોધ્યાવાસીઓ પર ફુટી નિકળ્યો ગુસ્સો, કહ્યું-તમે તો સીતા માતાને પણ ના છોડ્યા
- GujaratOthers
- June 6, 2024
- No Comment
- 19
વર્ષ 2024માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશની ફૈઝાબાદની સીટ હારી ગઈ છે. સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદ અયોધ્યાથી જીત્યા છે, જ્યાં થોડા મહિના પહેલા ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થયું હતું. સીરિયલ ‘રામાયણ’માં લક્ષ્મણનું પાત્ર ભજવનાર અભિનેતા સુનીલ લાહિરી અયોધ્યામાં ભાજપની હારથી ખૂબ જ દુઃખી છે. સુનીલ માત્ર અયોધ્યાથી જ નહીં પરંતુ સમગ્ર લોકસભા ચૂંટણીના ટ્રેન્ડથી બિલકુલ ખુશ નથી. તેણે સોશિયલ મીડિયા પર વીડિયો અને પોસ્ટ દ્વારા પોતાના ફેન્સ સાથે પોતાના વિચારો શેર કર્યા છે.
અયોધ્યાવાસીઓ પર ફૂટી નિકળ્યો રામાયાણના લક્ષ્મણનો ગુસ્સો
ટ્વિટર પર એક વીડિયો શેર કરતા સુનીલે લખ્યું છે કે લોકસભા ચૂંટણીના પરિણામો જોઈને હું ખૂબ ગુસ્સે છું. પરંતુ મને એ વાતની પણ ખુશી છે કે મારા બે મનપસંદ લોકો આ ચૂંટણી જીત્યા છે. વીડિયોમાં સુનીલ કહે છે, “જય શ્રી રામ મિત્રો, હું હંમેશા કહેતો હતો કે વોટ કરો, વોટ કરો. પણ મારી વાત કોઈએ સાંભળી નહિ. હવે પરિણામ જુઓ. ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે. શું આ સરકાર 5 વર્ષ ટકી શકશે? આ બધાની વચ્ચે, હું ખુશ છું કે મારા બે પ્રિય લોકો કંગના રનૌત જી અને અરુણ ગોવિલ આ ચૂંટણી જીત્યા. હું તે બંનેને અભિનંદન આપવા માંગુ છું. અને હું તેને તેની ભાવિ યાત્રા માટે શુભેચ્છા પાઠવું છું.
चुनाव के परिणाम देखकर बहुत ज्यादा निराशा हुई, एक तो मतदान कम और ये परिणाम,परंतू एक बात की ख़ुशी हुई मेरे दो पसंदीदा लोग चुनाव जीते. दोनों को बधाई
Disappointing to c election results, 1st voting was low and then this result, at least happy 2 c of my favourite won the election pic.twitter.com/xcqOGboWUC
— Sunil lahri (@LahriSunil) June 5, 2024
માતા સીતાને નથી છોડ્યા તો પછી..
આ વીડિયોની સાથે અયોધ્યાના લોકોથી નારાજ સુનીલ લાહિરીએ પણ ઘણી પોસ્ટ શેર કરી છે. એક પોસ્ટમાં આપણે બાહુબલી ફિલ્મની તે તસવીર જોઈ શકીએ છીએ, જ્યાં કટપ્પા અમરેન્દ્ર બાહુબલીની પીઠમાં તલવાર તાણી રહ્યા છે. આ તસવીરમાં કટપ્પાને અયોધ્યા જ્યારે બાહુબલી પ્રભાસને બીજેપી કહેવામાં આવ્યા છે.
આ પોસ્ટની સાથે તેણે અયોધ્યાના લોકો પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતી બીજી પોસ્ટ શેર કરી છે, આ પોસ્ટમાં લખ્યું છે કે, અયોધ્યાના લોકો હું તમારી મહાનતાને સલામ કરું છું, જ્યારે તમે માતા સીતાને નથી છોડ્યા, ત્યારે ભગવાન રામને ટેન્ટથી બહાર કાઢી ભવ્ય મંદિરમાં વિરાજમાન કરાવતા લોકોને છોડશો, તે તમારા માટે કોઈ મોટી વાત નથી. આખું ભારત તમને ક્યારેય સારી નજરથી નહીં જોવે.