મહારાષ્ટ્રમાં કારમી હારની જવાબદારી દેવેન્દ્ર ફડણવીસે સ્વીકારી, ડેપ્યુટી સીએમ પદેથી રાજીનામું આપવા કરી ઓફર

મહારાષ્ટ્રમાં કારમી હારની જવાબદારી દેવેન્દ્ર ફડણવીસે સ્વીકારી, ડેપ્યુટી સીએમ પદેથી રાજીનામું આપવા કરી ઓફર

મહારાષ્ટ્રમાં કારમી હારની જવાબદારી દેવેન્દ્ર ફડણવીસે સ્વીકારી, ડેપ્યુટી સીએમ પદેથી રાજીનામું આપવા કરી ઓફર

લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. મહારાષ્ટ્રમાં ભાજપ અને યુતિની હારની જવાબદારી દેવેન્દ્ર ફડણવીસે સ્વીકારી છે. તેમણે ડેપ્યુટી સીએમ પદ પરથી રાજીનામું આપવાની પાર્ટીમાં ઓફર કરી છે. મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં ભાજપ અને તેના સહયોગીઓને માત્ર 17 જ બેઠકો મળી છે.

જ્યારે કોંગ્રેસની વિપક્ષ મહા વિકાસ આઘાડી, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને NCP (શરદ પવાર)એ 48માંથી 30 બેઠકો જીતીને ભવ્ય દેખાવ કર્યો છે. લોકસભા ચૂંટણી 2019ની સરખામણીમાં મહારાષ્ટ્રમાં ભાજપના સાંસદોની સંખ્યા ઘટીને અડધાથી પણ ઓછી થઈ જવા પામી છે.

એનડીએને માત્ર 17 બેઠકો મળી

ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ને મહારાષ્ટ્રમાં 45 થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંક નક્કી કર્યો હતો. પરંતુ પરિણામે ભાજપને ચોકાવી દીધુ. તેમને માત્ર 17 જ બેઠકો મળી. ભાજપને મહારાષ્ટ્રમાં નવ બેઠકો મળી છે, જે 2019ની લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં જીતેલી 23 બેઠકો કરતાં ઘણી ઓછી છે. તેની સહયોગી શિવસેનાએ સાત બેઠકો જીતી છે. અન્ય સહયોગી અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને એક બેઠક મળી છે.

કોંગ્રેસે 13 બેઠકો જીતી

અજિત પવારની પત્ની સુનેત્રા પવારને બારામતીમાં શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસે મહારાષ્ટ્રમાં 13 બેઠકો જીતી છે, જે 2019માં મહારાષ્ટ્રમાં પક્ષ દ્વારા જીતેલી એક બેઠક કરતાં નોંધપાત્ર રીતે વધુ છે, જ્યારે શિવસેના (UBT) એ નવ અને NCP (શરદ પવાર) આઠ બેઠકો જીતી છે.

કોંગ્રેસમાં રહેલા વિશાલ પાટીલે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી અને સાંગલી બેઠક જીતી હતી. મહારાષ્ટ્રમાં 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 23 બેઠકો જીતી હતી, જ્યારે તેની તત્કાલીન સહયોગી શિવસેના (અવિભાજિત)એ 18 બેઠકો જીતી હતી. તત્કાલીન અવિભાજિત એનસીપીએ ચાર બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર એક બેઠક જીતી શકી હતી.

ભાજપની આગેવાની હેઠળના NDAએ આ વખતે મહારાષ્ટ્રમાં 45થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું. શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘ઈન્ડિયા’ ગઠબંધન, વડા પ્રધાનપદનો ચહેરો નક્કી કરવા બુધવારે એક બેઠક યોજશે. ઠાકરેએ કહ્યું કે સામાન્ય માણસે પોતાની તાકાત બતાવી છે. તેમણે કહ્યું કે વિપક્ષે કેન્દ્રમાં સરકાર બનાવવાનો દાવો કરવાની જરૂર છે.

વિધાનસભા ચૂંટણીમાં નુકસાનની ભરપાઈ કરીશું- ફડણવીસ

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, રાજ્યમાં NDAના આવા પ્રદર્શનનું કારણ વિપક્ષનો એ પ્રચાર છે કે ભાજપ ચૂંટણી પછી બંધારણમાં ફેરફાર કરશે. ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું.

Related post

નર્મદા વીડિયો  : એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર! ધારાસભ્યની નવું બિલ્ડીંગ બનાવવા સરકારને રજુઆત

નર્મદા વીડિયો : એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો…

નર્મદા જિલ્લાના એકતાનગરમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં છે. છેલ્લા બે વર્ષથી આ શાળા નર્મદા નિગમના બિલ્ડીંગમાં ચાલે…
Rain Report :  છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં ધબધબાટી બોલાવી, સૌથી વધુ દાંતામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

Rain Report : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં…

ગુજરાતભરમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 141 તાલુકામાં…
Health News : વિટામિન ડીની ઉણપ હોય તો દેખાય છે આ લક્ષણો,જુઓ તસવીરો

Health News : વિટામિન ડીની ઉણપ હોય તો દેખાય…

વર્તમાન સમયમાં કેટલાક લોકોને આહાર લીધા પછી અને પૂરી ઊંઘ લીધા પછી પણ થાક લાગતો હોય છે. વિટામિન ડીની ઉણપથી પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *