ભારતીય રેલવે મુસાફરો માટે મહત્વનો ચુકાદો, ટ્રેન મોડી હશે તો ચુકવાશે 9 ટકા વ્યાજ સાથે નાણાં ,જુઓ Video

ભારતીય રેલવે મુસાફરો માટે મહત્વનો ચુકાદો, ટ્રેન મોડી હશે તો ચુકવાશે 9 ટકા વ્યાજ સાથે નાણાં ,જુઓ Video

ભારતીય રેલવેમાં મુસાફરી કરતા કરોડો મુસાફરો માટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ટ્રેન મોડી થતા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનરે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. 3 કલાકથી વધુ સમય માટે ટ્રેન મોડી થતા ફરિયાદીને 7000 રુપિયા ચૂકવવા હુકમ આપ્યો છે.

માનસિક ત્રાસના 5000 રુપિયા અને ફરિયાદ ખર્ચના 2000 રુપિયા ચુકવવાનો આદેશ કરાયો છે. ફરિયાદીને ટિકિટના 3,300 રુપિયાની રકમ 9 ટકા વ્યાજ સાથે ચુકવવા આદેશ કરાયો છે. 20 ઓગસ્ટ 2022ના દિવસે દાખલ થયેલા કેસમાં આયોગે ચુકાદો આપ્યો છે.

શું હતી ઘટના ?

ફરિયાદી વ્યવસાયે વકિલ હતા. જેઓનો અમદાવાદ કોર્ટમાં કેસ હોવાથી ઉજ્જૈન થી અમદાવાદ આવવા માટે કોલકત્તા – અમદાવાદ  ફાસ્ટેસ્ટ એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી. પરંતુ ટ્રેન નિર્ધારિત સમય કરતાં 3 કલાકથી વધુ મોડી પહોંચતા આયોગમાં દાવો કરાયો હતો. જે બાદ ફરિયાદીએ અમદાવાદની કોર્ટમાં કેસ હોવાથી જલ્દી પહોંચવા શાંતિ એક્સપ્રેસની જનરલ ટિકિટ 150ની એક એવી 2 ટિકિટ 300 રૂપિયાની લીધી હતી. ફરિયાદીને  શાંતિ એક્સપ્રેસમાં 7 કલાક ઉભા રહીને મુસાફરી કરવી પડી હતી. જેથી ફરિયાદીને  માનસિક અને શારિરીક ત્રાસ થયો હતો. ફરિયાદીએ ટિકિટના 3300 રિફંડ સાથે બંનેના વળતર પેટે 50,000 મેળવવા ફરિયાદ દાખલ કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

નર્મદા વીડિયો  : એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર! ધારાસભ્યની નવું બિલ્ડીંગ બનાવવા સરકારને રજુઆત

નર્મદા વીડિયો : એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો…

નર્મદા જિલ્લાના એકતાનગરમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં છે. છેલ્લા બે વર્ષથી આ શાળા નર્મદા નિગમના બિલ્ડીંગમાં ચાલે…
Rain Report :  છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં ધબધબાટી બોલાવી, સૌથી વધુ દાંતામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

Rain Report : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં…

ગુજરાતભરમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 141 તાલુકામાં…
Health News : વિટામિન ડીની ઉણપ હોય તો દેખાય છે આ લક્ષણો,જુઓ તસવીરો

Health News : વિટામિન ડીની ઉણપ હોય તો દેખાય…

વર્તમાન સમયમાં કેટલાક લોકોને આહાર લીધા પછી અને પૂરી ઊંઘ લીધા પછી પણ થાક લાગતો હોય છે. વિટામિન ડીની ઉણપથી પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *