ભાદરવી પૂનમના મેળા પહેલા પદયાત્રિકોની સુરક્ષા માટે ત્રિશુળિયા ઘાટ ફરતે પ્રોટેક્શન જાળી મુકવા ઉઠી માગ- Video

ભાદરવી પૂનમના મેળા પહેલા પદયાત્રિકોની સુરક્ષા માટે ત્રિશુળિયા ઘાટ ફરતે પ્રોટેક્શન જાળી મુકવા ઉઠી માગ- Video

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે લાખો પદયાત્રીઓની સુરક્ષા સામે સવાલ ઊભો થયો છે. અંબાજી પહોંચતા પદયાત્રીઓ માટે દાતા-અંબાજી માર્ગ પર ભેખડ ધસી પડવાનું જોખમ છે. ત્રિશૂળિયા ઘાટ પરની ભેખડોના કારણે પદયાત્રીઓ પર જોખમની ભીતિ છે. ત્રિશુળિયા ઘાટ પર અગાઉ અકસ્માતો થતા હતા એટલે ત્રિશૂળિયા ઘાટ પર રહેલા પર્વતોને કાપી અને માર્ગને પહોળો કરવામાં આવ્યો હતો. હવે ચોમાસાની ઋતુમાં ભેખડ અને પથ્થરો ઘસી પડવાની ઘટના બને છે. ત્યારે પદયાત્રીઓની સલામતી માટે યાત્રાળુઓના માર્ગ પર પ્રોટેક્શન જાળી લગાવવાની માગણી ઉઠી રહી છે.

ભલા રાજપૂત નામના પદયાત્રિ જણાવે છે કે ભાદરવી પૂનમના મેળાને પગલે યાત્રિકોનો ધસારો વધુ રહે છે. હાલ વરસાદી સિઝન પણ ચાલી રહી છે, ત્યારે ચાલતા આવતા પદયાત્રિકોના માથે ભેખડો ધસી પડવાની અને જાનહાનિ થવાની ભીતિ રહેલી છે. આથી સમગ્ર ત્રિશુળિયા ઘાટ પર જાળી લગાવવી અત્યંત જરૂરી છે આથી સરકારે તેના માટે વિચારવુ જોઈએ અને સત્વરે જાળી લગાવવાની કામગીરી શરૂ કરવી જોઈએ.

સાત દિવસ બાદ ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ રહ્યો છે અને દાંતા અંબાજી માર્ગ પરથી લાખો પદયાત્રિકો આ મેળામાં આવનાર છે ત્યારે જોખમી બનેલા ત્રિશુળિયા ઘાટને જાળી લગાવવી અત્યંત જરૂરી છે.

Input Credit- Atul Trivedi- Banaskantha

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

સહારામાં રોકાણ કરનારાઓને મોટી રાહત, હવે 10 હજારની બદલે મળશે આટલા રૂપિયા

સહારામાં રોકાણ કરનારાઓને મોટી રાહત, હવે 10 હજારની બદલે…

સહારા ગ્રુપ સહકારી મંડળીઓના નાના થાપણદારોને સરકારે મોટી રાહત આપી છે. સરકારે હવે આ રોકાણકારોને આપવામાં આવેલી રકમમાં વધારો કર્યો છે.…
Stake Reduce: આ સરકારી કંપનીના રોકાણકારો માટે મોટા સમાચાર, ગવર્મેન્ટ 7% ભાગ ઘટાડશે, DIPAMની મળી મંજૂરી

Stake Reduce: આ સરકારી કંપનીના રોકાણકારો માટે મોટા સમાચાર,…

આ કંપની સંબંધિત મોટા સમાચાર બુધવારે અને 18 સપ્ટેમ્બરના રોજ આવ્યા છે. કંપનીને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)…
પોક્સોના કેસમાં ગુનો બન્યાના 3 વર્ષમાં જ કોર્ટે આરોપીને 20 વર્ષની સજા સંભળાવી

પોક્સોના કેસમાં ગુનો બન્યાના 3 વર્ષમાં જ કોર્ટે આરોપીને…

અમદાવાદની ભોગ બનનાર પીડિતા અને આરોપી જયેન્દ્ર પરમાર ઈન્સ્ટાગ્રામ પરથી એક બીજાના પરિચયમાં આવ્યા હતા. સગીરા અને આરોપી બંને દિવ્યાંગ (સાંભળી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *