ભરૂચ : ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત 500 મકાન ખાલી કરવાના નિર્ણય સામે સ્થાનિકોમાં રોષ, જુઓ વીડિયો

ભરૂચ : ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત 500 મકાન ખાલી કરવાના નિર્ણય સામે સ્થાનિકોમાં રોષ, જુઓ વીડિયો

ભરૂચ : ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તગતના નર્મદા એપાર્ટમેન્ટ અને અન્ય 500 જર્જરીત મકાન જોખમી હોવાથી પાણી,ગટર અને વીજળી કનેકશન કાપી મકાન ખાલી કરાવવા પગલા ભરવામાં આવતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો.

500 પરિવારો માટે રી ડેવલોપમેન્ટ યોજના લાગુ કરવા સ્થાનિકોએ માંગ કરી છે પરંતુ આ બાબતે હાઉસિંગ બોર્ડ અને સરકારે સ્પષ્ટ સ્વીકૃતિ આપી નથી ત્યારે સ્થાનિકો બેઘટ બનવાનો ભય વ્યક્ત કરી રહ્યા છે.

સમસ્યાનો હલ કાઢવા નગરપાલિકા, હાઉસિંગ બોર્ડ અને સ્થાનિકો વચ્ચે બેઠક યોજાઈ હતી જોકે તેમાં હાઉસિંગ બોર્ડ મકાન ખાલી કરાવવા મક્કમ જણાયું હતું.500 પરિવારો માટે સ્થાનિક અગ્રણીઓ આગળ આવ્યા હતા. સ્થાનિક અગ્રણી અને નગર સેવક રાજશેખર દેશ્ન્નવરએ  હાઉસિંગ બોર્ડ નમતું જોખવા તૈયાર ન હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મકાનનો હિસ્સો ધરાસાઈ થવાના કારણે ગત વર્ષે દબાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું હતું.

Related post

IND vs SA: ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને મળ્યા ખરાબ સમાચાર, હવે રોહિત શર્માની ટીમ કેવી રીતે જીતશે?

IND vs SA: ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને મળ્યા ખરાબ…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ હવે થોડા કલાકો દૂર છે. બ્રિજટાઉન, બાર્બાડોસમાં કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમ આ…
Jio-Airtel બાદ હવે Vodafone-Ideaએ ભાવનો બોમ્બ ફોડ્યો, પ્લાનમાં આટલો કર્યો વધારો

Jio-Airtel બાદ હવે Vodafone-Ideaએ ભાવનો બોમ્બ ફોડ્યો, પ્લાનમાં આટલો…

દેશની સૌથી મોટી યુઝર બેઝ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ પોતાના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનની કિંમતો વધારવાના નિર્ણય બાદ વોડાફોને પણ મોબાઈલ…
હવે નાના રોકાણકારોની માર્કેટમાં વધશે ભાગીદારી, સેબીએ લીધો મોટો નિર્ણય

હવે નાના રોકાણકારોની માર્કેટમાં વધશે ભાગીદારી, સેબીએ લીધો મોટો…

સિક્યોરિટી માર્કેટમાં નાના રોકાણકારોની ભાગીદારી વધારવા માટે બજાર નિયામક સેબીએ શુક્રવારે મૂળભૂત સેવા ડીમેટ ખાતાની મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને 10…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *