પોલીસ દરેક ક્રાઈમ સીન પર પીળી ટેપ જ કેમ લગાવે છે ? જાણો તેની પાછળનું કારણ

પોલીસ દરેક ક્રાઈમ સીન પર પીળી ટેપ જ કેમ લગાવે છે ? જાણો તેની પાછળનું કારણ

પોલીસ દરેક ક્રાઈમ સીન પર પીળી ટેપ જ કેમ લગાવે છે ? જાણો તેની પાછળનું કારણ

તમે ઘણીવાર ફિલ્મો કે સમાચારોમાં જોયું હશે કે જ્યારે કોઈ ગુનો બને છે, ત્યારે પોલીસ તે જગ્યાને પીળી ટેપથી કવર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આવું શા માટે કરવામાં આવે છે અને કેમ પીળા રંગની ટેપનો જ ઉપયોગ કરવામાં આવે છે ? તેના વિશે આ લેખમાં જાણીશું.

પીળો રંગ રાત હોય કે દિવસ તમે સરળતાથી જોઈ શકો છો. આ રંગ દૂરથી જ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે અને તેમને અહેસાસ કરાવે છે કે અહીં કંઈક અસાધારણ ઘટના બની છે. આ રંગ આંખને તરત જ દેખાય છે અને લોકોને ચેતવણી આપે છે કે આ વિસ્તાર જોખમી બની શકે છે.

પીળો રંગ ખાસ કરીને ચેતવણી માટે વપરાય છે. આ રંગ લોકોને જણાવે છે કે આ વિસ્તાર અસુરક્ષિત છે અને વિચાર્યા વિના અહીં જવું યોગ્ય નથી. આ એક ચેતવણી છે કે આ વિસ્તારમાં પ્રવેશવું જોખમ હોઈ શકે છે.

જ્યારે પોલીસ કોઈ ક્રાઈમ સીનને પીળી ટેપ વડે કવર કરે છે, તો તેનો અર્થ એ છે કે પોલીસે તે જગ્યાનો કબજો લીધો છે. પોલીસની પરવાનગી વિના આ ટેપની અંદર કોઈ પણ વ્યક્તિ પ્રવેશી શકશે નહીં. આ ટેપ એ સુનિશ્ચિત કરે છે કે અન્ય કોઈ વ્યક્તિ ત્યાં પ્રવેશ ન કરી શકે, કારણ કે તે પુરાવાને નુકસાન પહોંચાડી શકે.

ગુનાના સ્થળે ઘણા પ્રકારના પુરાવા હોય છે, જેમ કે ફિંગરપ્રિન્ટ્સ, ડીએનએ, કપડાના ટુકડા વગેરે. પીળી ટેપ દ્વારા પોલીસ એ સુનિશ્ચિત કરે છે કે આ પુરાવાઓ સુરક્ષિત રહે અને આ સ્થાનને અને પુરાવાને કોઈ નુકસાન ન પહોંચાડે. ગુનાની યોગ્ય તપાસ થઈ શકે તે માટે આ ટેપ દ્વારા આવરી લેવામાં આવેલા પુરાવા સુરક્ષિત રાખવા ખૂબ જ જરૂરી છે.

પીળી ટેપનું મહત્વ

ખાસ કરીને ભારત અને અમેરિકા જેવા દેશોમાં કાયદો અને વ્યવસ્થા સંબંધિત બાબતોમાં પીળા રંગનો ઉપયોગ સામાન્ય છે. પીળા રંગને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર પસંદ કરવામાં આવ્યો છે કારણ કે આ રંગને સરળતાથી ઓળખી શકાય છે અને આ રંગ લોકોને સંકેત આપે છે કે તે વિસ્તારમાં કોઈ કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.

ગુનાની તપાસમાં પીળી ટેપનું ઘણું મહત્વ છે. આ ટેપ પોલીસને ગુનાના સ્થળને સુરક્ષિત કરવામાં અને પુરાવા એકત્રિત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે સામાન્ય જનતાને પણ સુરક્ષિત રાખે છે. પીળી ટેપ માત્ર એક સામાન્ય ટેપ નથી, પરંતુ તે ગુનાની તપાસમાં એક મહત્વપૂર્ણ સાધન છે. તે પોલીસને ગુનેગારોને પકડવામાં અને તેમને ન્યાય સુધી પહોંચાડવામાં મદદ કરે છે, તેથી તેનો યોગ્ય ઉપયોગ અને સમજ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Related post

પોરબંદરમાં પાટીલે એવું કેમ કહ્યું કે રાજ્યસભાના સાંસદ રામભાઇ નેતા ક્યાંના રાજકોટના કે પોરબંદરના ? જુઓ Video

પોરબંદરમાં પાટીલે એવું કેમ કહ્યું કે રાજ્યસભાના સાંસદ રામભાઇ…

આ મુદ્દો એટલા માટે ઉઠ્યો જ્યારે પોરબંદરમાં શહેર ભાજપ કાર્યાલયના ઉદ્દધાટન કાર્યક્રમમાં જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર…
TMKOC: વિવાદો વચ્ચે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બે કલાકારોની એન્ટ્રી, નામ સાંભળીને લોકો થઈ જશે ખુશ!

TMKOC: વિવાદો વચ્ચે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બે…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષથી લોકોને હસાવી રહી છે. બાળકોથી લઈને પુખ્ત વયના લોકો આ શોને ખૂબ જ…
બિઝનેસ અલગ કરશે આ કંપની, IPO લાવવાની જાહેરાત, શેરમાં 20%ની અપર સર્કિટ, કિંમત આવી 34 રૂપિયા પર

બિઝનેસ અલગ કરશે આ કંપની, IPO લાવવાની જાહેરાત, શેરમાં…

માઇક્રોકેપ કંપનીના શેર આજે સોમવારે અને 16 સપ્ટેમ્બરના રોજ ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં હતા. આજે સોમવારે અને 16 સપ્ટેમ્બરના રોજ કંપનીના શેરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *