પિતાની મિલકતમાં દીકરીનો કેટલો અધિકાર ? જાણો શું કહે છે કાયદો

પિતાની મિલકતમાં દીકરીનો કેટલો અધિકાર ? જાણો શું કહે છે કાયદો

પિતાની મિલકતમાં દીકરીનો કેટલો અધિકાર ? જાણો શું કહે છે કાયદો

તમે અવારનવાર મિલકતને લગતા વિવાદો જોયા હશે. અનેક પરિવારો વચ્ચે ઝઘડા અવારનવાર જોવા મળે છે. ઘણા કિસ્સામાં મામલો કોર્ટ સુધી પહોંચે છે. ભારતમાં પ્રોપર્ટીના વિભાજનને લઈને બનેલા કાયદાઓ વિશે ઘણા લોકો જાણતા નથી. તેથી મોટાભાગના કિસ્સાઓમાં આ વિવાદનું કારણ બને છે. મિલકતની વહેંચણીને લઈને ઘણી વખત પુત્ર-પુત્રી વચ્ચે ઝઘડો થાય છે.

તમને જણાવી દઈએ કે ભારતમાં સંપત્તિના વિભાજન માટે અલગ-અલગ પ્રકારના કાયદા બનાવવામાં આવ્યા છે. જેમાં પિતાની બાપ-દાદાની મિલકતમાં પુત્ર-પુત્રીના અધિકારો અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે પિતાની મિલકતમાં દીકરીઓનો કેટલો અધિકાર છે ?

પૈતૃક મિલકતમાં પુત્ર-પુત્રીના અધિકાર

ભારતમાં વર્ષ 1956માં હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ ઘડવામાં આવ્યો હતો. જે અંતર્ગત મિલકતના વિભાજન અને મિલકત પરના અધિકારોના દાવા અંગેના કાયદાઓ બનાવવામાં આવ્યા હતા. અગાઉ આ કાયદા મુજબ પૈતૃક સંપત્તિ પર માત્ર પુત્રોનો જ અધિકાર હતો. પરંતુ વર્ષ 2005માં આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો, જેના પછી દીકરીઓને પણ પૈતૃક સંપત્તિમાં પુત્રોની જેમ સમાન અધિકાર મળે છે.

હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ 2005માં કરવામાં આવેલા ફેરફારો હેઠળ, દીકરીના લગ્ન થયા હોય કે ના થયા હોય, દીકરીના છૂટાછેડા થયા હોય તો આ બાબતોથી દીકરીના પ્રોપર્ટીના અધિકારમાં કોઈ ફરક નહીં પડે. એટલે કે પિતાની મિલકત પર પુત્રનો જેટલો અધિકાર છે એટલો જ દીકરીને પણ અધિકાર છે.

પિતા દ્વારા કમાયેલી મિલકત પર કોઈ અધિકાર નથી

હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમમાં વર્ષ 2005માં કરાયેલા ફેરફારો હેઠળ પુત્રીને પિતાની પૈતૃક સંપત્તિમાં જ અધિકાર મળે છે એટલે કે જે મિલકત પેઢી દર પેઢીથી ચાલી આવે છે. પરંતુ જે મિલકત પિતાની પોતાની કમાણીની છે. તેના પર દીકરીનો કોઈ અધિકાર નથી. તેમજ આ પ્રકારની મિલકત પરનો કોઈપણ દાવો માન્ય રહેશે નહીં. તમને જણાવી દઈએ કે પિતા જીવતા હોય ત્યાં સુધી પિતાની પોતાની સંપત્તિ પર માત્ર પુત્રી જ નહીં, પુત્રોનો પણ કોઈ અધિકાર નથી.

વસિયતનામું ના હોય તો મિલકત પર સમાન અધિકાર

જો કોઈના પિતા ગુજરી ગયા હોય. પરંતુ વસિયતનામું કરવામાં આવ્યું નથી. તો આ કિસ્સામાં જો મિલકતનો કોઈ કાયદેસર વારસદાર ન હોય તો પુત્રીનો અધિકાર પુત્રના સમાન છે. જો મિલકત પુત્રીને આપવામાં ન આવે તો પુત્રી કોર્ટનો સંપર્ક કરી શકે છે. અને સિવિલ કેસ હેઠળ કેસ દાખલ કરી શકે છે.

Related post

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું…

હવામાન વિભાગે વરસાદને લઈને આજે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતની સાથોસાથ રાજસ્થાન અને દિલ્હીમાં પણ ભારે વરસાદને લઈને…
1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત, જાણો કેવો રહેશે અન્ય રાશિના જાતકોનો દિવસ

1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે…

આજનું રાશિફળ : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…
NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના માલિકની ધરપકડ

NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના…

ગુજરાતના ગોધરાના પરવડી ગામમાં નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએશન (NEET-UG)માં કથિત ગેરરીતિઓના કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ જય જલારામ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *