નરેન્દ્ર મોદીના ફરીથી વડાપ્રધાન બનવાના ડરથી પાકિસ્તાને શાંતિની વાત શરૂ કરી, જાણો શું કહ્યુ

નરેન્દ્ર મોદીના ફરીથી વડાપ્રધાન બનવાના ડરથી પાકિસ્તાને શાંતિની વાત શરૂ કરી, જાણો શું કહ્યુ

નરેન્દ્ર મોદીના ફરીથી વડાપ્રધાન બનવાના ડરથી પાકિસ્તાને શાંતિની વાત શરૂ કરી, જાણો શું કહ્યુ

નરેન્દ્ર મોદી ફરી એકવાર પીએમ તરીકે ચૂંટાયા બાદ પાકિસ્તાને ટિપ્પણી કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા બલોચે ભારતને કહ્યું કે અમને આશા છે કે ભારત બંને દેશોના લોકોના ફાયદાને ધ્યાનમાં રાખીને શાંતિ જાળવી રાખશે અને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોના ઉકેલ માટે પગલાં લેશે.

દેશમાં સતત ત્રીજી વખત ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન એનડીએની જીત સાથે, નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. જે બાદ પાકિસ્તાન તરફથી એક ટિપ્પણી આવી છે. નરેન્દ્ર મોદી ફરી એકવાર પીએમ તરીકે ચૂંટાયા બાદ પાકિસ્તાન હવે શાંતિની વાત કરી રહ્યું છે.

પાકિસ્તાને શુક્રવારે કહ્યું કે તે ભારત સહિત તમામ પડોશી દેશો સાથે શાંતિની વાત કરવા માંગે છે. સાથોસાથ સહકારી સંબંધો રાખવા માંગે છે અને દરેક પ્રકારના વિવાદને શાંતિપૂર્ણ વાતચીતની મદદથી ઉકેલવા માંગે છે.

પાકિસ્તાને શું ટિપ્પણી કરી?

શુક્રવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પાકિસ્તાન હંમેશા ભારત સહિત તેના તમામ પડોશીઓ સાથે સહકારી સંબંધો અને શાંતિ જાળવી રાખવા માંગે છે. જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કરતાં તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર જેવા મોટા વિવાદ સહિત ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ મુદ્દાઓને ઉકેલવા માટે સતત વાતચીત અને શાંતિની વાત કરે છે.

સંબંધોમાં તણાવ હતો

ભારત સરકારે 5 ઓગસ્ટ, 2019 ના રોજ એક ઐતિહાસિક નિર્ણય લીધો. સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર આપતી કલમ 370ની કેટલીક જોગવાઈઓ રદ કરી હતી. જે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ સર્જાયો હતો. કલમ 370 નાબૂદ કર્યા બાદ પાકિસ્તાને ભારત સાથેના સંબંધો ઓછા કર્યા છે.

PAK એ આતંકવાદનો રસ્તો છોડવો જોઈએ

જોકે ભારત સતત શાંતિની વાત કરી રહ્યું છે. માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ ભારત દરેક પડોશી દેશ સાથે શાંતિ અને વાતચીત જાળવી રાખવા માંગે છે. પરંતુ સાથે જ પાકિસ્તાનની વાત કરવામાં આવે તો ભારત એવું પણ કહેતું આવ્યું છે કે પાકિસ્તાન સાથે શાંતિપૂર્ણ સંબંધો ત્યારે જ સ્થાપિત થઈ શકે છે જ્યારે પાકિસ્તાન આતંકવાદનો માર્ગ છોડીને તેની અપવિત્ર ગતિવિધિઓથી દૂર રહે.

શાંતિનો સંદેશ

ભારત સાથે શાંતિ જાળવવા અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા બલોચે કહ્યું, “પાકિસ્તાન શાંતિ જાળવવામાં માને છે. તેમણે એમ પણ કહ્યું કે અમને આશા છે કે બંને દેશોના લોકોના ફાયદાને ધ્યાનમાં રાખીને ભારત શાંતિ જાળવવા અને વાતચીતને આગળ વધારવા અને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોને ઉકેલવા માટે પગલાં લેશે.

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *