દૂધનું દૂધ પાણીનું પાણી, રાહુલે કહ્યું નથી આપ્યા, સેનાએ કહ્યું શહીદ પરિવારને આપ્યા આટલા રૂપિયા

દૂધનું દૂધ પાણીનું પાણી, રાહુલે કહ્યું નથી આપ્યા, સેનાએ કહ્યું શહીદ પરિવારને આપ્યા આટલા રૂપિયા

દૂધનું દૂધ પાણીનું પાણી, રાહુલે કહ્યું નથી આપ્યા, સેનાએ કહ્યું શહીદ પરિવારને આપ્યા આટલા રૂપિયા

લોકસભા ચૂંટણી બાદ સંસદનું પ્રથમ ખાસ સત્ર પૂર્ણ થયું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ, ગત બુધવારે સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ શહીદ અગ્નિવીરના પરિવારોને વળતર આપવાના મુદ્દે સંસદમાં ખોટું બોલ્યા હતા. હવે આ મામલે ભારતીય સેનાના ADG PIનું નિવેદન સામે આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ્સથી જાણવા મળ્યું છે કે ફરજ દરમિયાન પોતાનો જીવ ગુમાવનારા અગ્નિવીર અજય કુમારના પરિવારના સભ્યોને વળતર આપવામાં આવ્યું નથી. પરંતુ એવુ નથી, શહીદ અગ્નિવીરના પરિવારને અગ્નિવીર યોજનાની જોગવાઈ અનુસાર નાણાકીય લાભ આપવામાં આવ્યા છે. હજુ પણ કેટલાક નાણાકીય લાભ, પોલીસના વેરિફિકેશન બાદ ચૂકવવામાં આવશે.

ADG PIએ જણાવ્યું હતું કે, ભારતીય સેના અગ્નિવીર અજય કુમાર દ્વારા કરાયેલ સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે, તે વાત પર ભાર મૂકવામાં આવે છે. તેમને સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. અગ્નિવીર અજયના પરિવારજનોને 98.39 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે આને રક્ષા મંત્રી રાજનાથ સિંહના કાર્યાલય તરફ ફરીથી રી પોસ્ટ કરવામાં આવ્યું છે.

67 લાખની નાણાકીય સહાય

ADG PIએ જણાવ્યું હતું કે અગ્નિવીર યોજનાની જોગવાઈઓ મુજબ આશરે 67 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવી છે અને અન્ય લાભો પોલીસ વેરિફિકેશન બાદ ચૂકવવામાં આવશે. કુલ અંદાજે રૂ. 1.65 કરોડની સહાર શહીદ અજયકુમારના પરિવારને આપવામાં આવશે. નિવેદનમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે અગ્નિવીર સહિત શહીદ થયેલા જવાનોના પરિવારજનોને વહેલી તકે આર્થિક સહાય ચૂકવવામાં આવે છે.

રાહુલે શું આરોપ લગાવ્યા?

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો મેસેજ પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ ભગવાન શિવના ફોટા સાથે અગ્નિવીર યોજનાને લઈને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી રહ્યા છે. વીડિયોમાં વિપક્ષના નેતાએ કહ્યું કે સંસદમાં મારા ભાષણમાં મેં કહ્યું હતું કે સત્યની રક્ષા દરેક ધર્મનો પાયો છે. તેના જવાબમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે વળતર અંગે ભગવાન શિવના ફોટાની સામે સમગ્ર ભારત, દેશની સેના અને ફાયર બ્રિગેડને જૂઠું બોલ્યા છે.

Related post

અંબાણી-અદાણી અને TATA ને મદદ કરનાર સૌરભ સક્સેના કોણ છે? હવે કોલંબોમાં વાગશે તેનો ડંકો

અંબાણી-અદાણી અને TATA ને મદદ કરનાર સૌરભ સક્સેના કોણ…

ભારતીયો વિશ્વના વિવિધ ભાગોમાં વેવ બનાવી રહ્યા છે. કોઈ રમતમાં નામ કમાઈ રહ્યું છે, તો કોઈ ધંધામાં. જેના કારણે તેને અલગ-અલગ…
ટેરો કાર્ડ : આ રાશિના જાતકો વેપારમાં થશે ફાયદો, જાણો તમારૂ ટેરો રાશિફળ

ટેરો કાર્ડ : આ રાશિના જાતકો વેપારમાં થશે ફાયદો,…

જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત…
IND vs PAK: સંન્યાસ લઈ ચૂકેલા પાકિસ્તાની ખેલાડીઓએ મચાવી તબાહી, ભારતીય ચેમ્પિયન્સ સામે કર્યું મોટું કારનામું

IND vs PAK: સંન્યાસ લઈ ચૂકેલા પાકિસ્તાની ખેલાડીઓએ મચાવી…

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024 હાલમાં ઈંગ્લેન્ડમાં રમાઈ રહી છે. આ લીગમાં 6 દેશોના દિગ્ગજ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જેમણે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *