ઝિમ્બાબ્વે, ઝામ્બિયા અને મલાવીમાં દુષ્કાળની સ્થિતિ, ભારતે 1000 મેટ્રિકથી વધારે ચોખા- મકાઈની કરી સહાય

ઝિમ્બાબ્વે, ઝામ્બિયા અને મલાવીમાં દુષ્કાળની સ્થિતિ, ભારતે 1000 મેટ્રિકથી વધારે ચોખા- મકાઈની કરી સહાય

ઝિમ્બાબ્વે, ઝામ્બિયા અને મલાવીમાં દુષ્કાળની સ્થિતિ, ભારતે 1000 મેટ્રિકથી વધારે ચોખા- મકાઈની કરી સહાય

ભારત સરકારે દુષ્કાળગ્રસ્ત મલાવીમાં 1,000 મેટ્રિક ટન ચોખા મોકલાવીને સહાય આપી છે. દક્ષિણ-પૂર્વ આફ્રિકન કેટલાક દેશો દુષ્કાળથી પ્રભાવિત થયા છે. આ દેશમાં પાકને મોટું નુકસાન થયું છે અને ખાદ્ય ઉત્પાદનને પણ અસર થઈ છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે અલ નીનોની અસરથી સર્જાયેલા ગંભીર દુષ્કાળના પરિણામોનો સામનો કરવા માટે 1000 મેટ્રિક ટન ચોખાની મલાવી મોકલવામાં આવી છે. દેશના 28 માંથી 23 જિલ્લાઓમાં દુષ્કાળ પડ્યા બાદ મલાવી સરકારે માર્ચમાં આપત્તિની સ્થિતિ જાહેર કરી હતી.

ઝિમ્બાબ્વે, ઝામ્બિયા અને મલાવીમાં મદદ મોકલી

રણધીર જયસ્વાલના જણાવ્યા અનુસાર, ભારતે મલાવી ઉપરાંત ઝિમ્બાબ્વે અને ઝામ્બિયાને ચોખાની સહાય મોકલી છે. ટ્વિટર પરની એક પોસ્ટમાં જયસ્વાલે કહ્યું કે ભારતે ઝિમ્બાબ્વેને માનવતાના પગલે સહાય મોકલી છે. ન્હાવા શેવા બંદરેથી 1000 મેટ્રિક ટન ચોખાનો માલ ઝિમ્બાબ્વે માટે મોકલવામાં આવ્યો હતો. આનાથી ઝિમ્બાબ્વેના લોકોની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે.

 

1,300 મેટ્રિક ટન મકાઈ ઝામ્બિયા મોકલી

ભારતે ઝામ્બિયાના લોકોની ખાદ્ય અને પોષક જરૂરિયાતોને પહોંચી વળવા માટે 1,300 મેટ્રિક ટન મકાઈ પણ મોકલી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર ભારતે અલ નીનોની ઘટનાને કારણે સર્જાયેલા દુષ્કાળના પરિણામોનો સામનો કરવા માટે મલાવીના લોકોને સહાય મોકલી છે.

 

સમગ્ર વિશ્વના હવામાન પર અલ નીનોની અસર

અલ નીનો અને લા નીના એ પેસિફિક મહાસાગરમાં આબોહવાની પેટર્ન છે જે સમગ્ર વિશ્વમાં હવામાનને અસર કરી શકે છે. અગાઉ 26 એપ્રિલના રોજ, તાન્ઝાનિયામાં ભારે વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનના પરિણામે ઓછામાં ઓછા 155 લોકોના મૃત્યુ થયા હતા.

વરસાદને કારણે થયુ ભારે નુકસાન

તાન્ઝાનિયાના વડા પ્રધાન કાસિમ માજાલિવાએ જણાવ્યું હતું કે વર્તમાન વરસાદની મોસમ અલ નીનો આબોહવા પેટર્નને કારણે વધુ ખરાબ થઈ છે, જેના પરિણામે પૂર અને રસ્તાઓ, પુલો અને રેલવેનો વિનાશ થયો છે. માજાલિવાએ જણાવ્યું હતું કે અલ નીના પગેલ ભારે વરસાદ, ભારે પવન, પૂર અને ભૂસ્ખલન સાથે દેશના વિવિધ ભાગોમાં નોંધપાત્ર નુકસાન થયું છે.

Related post

પાકિસ્તાને ફરી ઓક્યુ ઝેર, રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું-કાશ્મીરમાં ફરી 370 લાદવા NC-કોંગ્રેસ અમારી સાથે

પાકિસ્તાને ફરી ઓક્યુ ઝેર, રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું-કાશ્મીરમાં…

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે, મોદી સરકાર સામે ઝેર ઓક્યું છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર મોટું નિવેદન આપ્યું છે.…
પેજર શું છે ? કેવી રીતે થાય છે તેમાં બ્લાસ્ટ ? જાણો લેબનોનમાં થયેલા પેજર બ્લાસ્ટ પાછળની હકીકત

પેજર શું છે ? કેવી રીતે થાય છે તેમાં…

18 સપ્ટેમ્બરના રોજ લેબનોન અને સીરિયાના કેટલાક સરહદી વિસ્તારોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા. અચાનક શેરીઓ, બજારો અને ઘરોમાં લોકોના ખિસ્સા અને હાથમાં…
‘અબ તેરા કયા હોગા Vodafone Idea’ સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ શેરની કિંમતમાં 20 ટકાનો ઘટાડો, જુઓ તસવીરો

‘અબ તેરા કયા હોગા Vodafone Idea’ સુપ્રિમ કોર્ટના નિર્ણય…

ટેલિકોમ કંપની વડાફોન આઈડીયાને આજે મોટો ફટકો પડ્યો છે. સુપ્રિમ કોર્ટએ આજે એટલે કે 19 સપ્ટેમ્બરના રોજ ટેલિકોમ કંપની દ્વારા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *