![જો તમે પણ સાસણ ગીર જવા માટે પ્લાન બનાવી રહ્યા છો, તો જાણી લેજો આ તારીખથી બંધ રહેશે ગીર અભયારણ](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/06/197339-709753-301160465-571933-952164857166-673051182-437836380-390802423483.jpg)
જો તમે પણ સાસણ ગીર જવા માટે પ્લાન બનાવી રહ્યા છો, તો જાણી લેજો આ તારીખથી બંધ રહેશે ગીર અભયારણ
- GujaratOthers
- June 14, 2024
- No Comment
- 13
16 જૂનથી 15 ઓક્ટોબર સુધી ગીર અભયારણ્ય બંધ રહેશે. સિંહનો પ્રજનન કાળ હોવાથી પ્રવાસીઓ માટે ગીર અભયારણ બંધ રાખવામાં આવે છે.સિંહ પ્રજનન કાર્યક્રમ અંતર્ગત સિંહોના પ્રજનન અને પ્રજનન કેંદ્રોના દેખભાળ કરવાનું કાર્ય કરવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે, 2023માં 1.95 લાખ પ્રવાસીઓએ જંગલ સફારી અને 6.88 લાખ પ્રવાસીઓએ દેવડીયા પાર્કની મુલાકાત લીધી હતી. જંગલ સફારીની મુલાકાત લેવા માટે દેશ વિદેશથી લોકો આવતા હોય છે.
આ અભયારણ્ય, જૂનથી સપ્ટેમ્બર સુધી બંધ રહે છે. પરંતુ ઠંડા અને સુકા હવામાનમાં, નવેમ્બરના અંતથી માર્ચની શરૂઆત સુધીનો સમય પ્રવાસીઓ માટે મુલાકાતનો ઉત્તમ સમય ગણાય છે. આ સમય દરમિયાન વન્યજીવોને ખુલ્લામાં ફરતા જોવાનો લહાવો મળી જાય છે.
જો તમારે સાસણ ગીર અભ્યારણની મુલાકાત લેવા જવું છે, તો તમે ફ્લાઈટ દ્વારા જવું છે તો તમને રાજકોટ સુધીની ફ્લાઈટ મળી જશે. ત્યાંથી તમારે જૂનાગઢ અને ત્યારબાદ સાસણ ગીર જઈ શકશો. જો તમારે ટ્રેન દ્વારા મુસાફરી કરવી છે તો તમને જૂનાગઢથી સાસણગીરની ટ્રેન મળી રહેશે. તેમજ જો તમારે બસમાં મુસાફરી કરવી છે તો પણ તમને જૂનાગઢથી અનેક બસ સાસણ ગીર સુધીની મળી રહેશે.
સાસણ ગીર પહોંચ્યા પછી તમને અનેક રિસોર્ટ તેમજ હોટલ રહેવા માટે મળી જશે. તમે જિપ્સી તેમજ બસ દ્વારા મુસાફરી કરી શકો છો, જેના માટે દેવળીયા પાર્ક, આંબરડી સફારી પાર્કમાં તમે ફરી શકો છો. જૂનાગઢથી 55 કિમી દુર સાસણ ગીર આવેલું છે,