જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સામે આવેલા ખલાસીઓના વિવાદનો આવ્યો અંત, દિલીપદાસજીના એક નિવેદનથી ફેલાઈ હતી નારાજગી

જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સામે આવેલા ખલાસીઓના વિવાદનો આવ્યો અંત, દિલીપદાસજીના એક નિવેદનથી ફેલાઈ હતી નારાજગી

જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સામે આવેલા ખલાસીઓના વિવાદનો આવ્યો અંત, દિલીપદાસજીના એક નિવેદનથી ફેલાઈ હતી નારાજગી

અમદાવાદમાં વર્ષોથી યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વર્ષે ભગવાનની 147માં રથયાત્રા યોજાવાની છે. એ પૂર્વે પૂરજોશમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. જો કે આ રથયાત્રા પૂર્વે ખલાસીબંધુઓનો એક વિવાદ સામે આવ્યો છે. મંદિરના મહંત દિલીપદાસજીના નિવેદન બાદ ખલાસીઓમાં નારાજગી ફેલાઈ હતી. દિલીપદાસજીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમા તેઓ એવુ બોલ્યા હતા કે માત્ર ખલાસીઓ જ રથ ખેંચે એવુ નથી.આ નિવેદન બાદ ખલાસી બંધુઓમાં નારાજગી ફેલાઈ હતી.

પોલીસની મધ્યસ્થતામાં મંદિરના ટ્રસ્ટીગણ અને ખલાસીઓની મળી બેઠક

આ વિવાદ વધુ વકરે એ પહેલા જ પોલીસની મધ્યસ્થીમાં જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી ગણ અને ખલાસી બંધુઓની બેઠક મળી હતી. આ બેઠકમાં સમગ્ર વિવાદ પર ઠંડુ પાણી રેડી દેવાયુ છે અને વિવાદનો સુખદ અંત લવાયો છે. આ બેઠક બાદ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યુ હતુ કે ખલાસીઓનો કોઈ વિવાદ પહેલા પણ ન હતો અને હાલ પણ નથી. આ ખલાસીઓ ભગવાનના સેવકો છે અને વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ ખૂબ સારી રીતે સહભાગી થશે. રથયાત્રાને લઈને કોઈ વિવાદ કે વિખવાદને સ્થાન જ નથી.

અમે 146 વર્ષથી ભગવાનના રથના ખલાસી છીએ- મફતલાલ ખલાસી

જોકે ચર્ચા એવી પણ છે કે દિલીપદાસજીના નિવેદનથી નારાજ થયેલા કેટલાક ખલાસીઓ શનિવારે રાત્રે પોલીસ સ્ટેશને પણ પહોંચ્યા હતા.આ અંગે ખલાસી આગેવાન મફતલાલ ખલાસીના જણાવ્યા મુજબ થોડુ વિવાદ અને નારાજગી જેવુ હતુ, પરંતુ હાલ કોઈ નારાજગી છે નહીં અને 146 વર્ષથી અમે જ ભગવાનનો રથ ખેંચતા આવ્યા છીએ અને આ વર્ષે પણ અમે જ રથ ખેંચવાના. એ અમારો હક્ક છે. અને હાલ કોઈ વિવાદ પણ નથી, એમ તેમણે સ્પષ્ટ જણાવ્યુ હતુ.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો  

Related post

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું…

હવામાન વિભાગે વરસાદને લઈને આજે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતની સાથોસાથ રાજસ્થાન અને દિલ્હીમાં પણ ભારે વરસાદને લઈને…
1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત, જાણો કેવો રહેશે અન્ય રાશિના જાતકોનો દિવસ

1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે…

આજનું રાશિફળ : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…
NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના માલિકની ધરપકડ

NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના…

ગુજરાતના ગોધરાના પરવડી ગામમાં નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએશન (NEET-UG)માં કથિત ગેરરીતિઓના કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ જય જલારામ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *