ગોળીનો જવાબ ગોળીથી જ અપાશે, કલમ 370 ફરી નહીં આવે, નૌશેરામાં આતંકવાદ-વિપક્ષ-પાકિસ્તાનને અમિત શાહનો સીધો જવાબ

ગોળીનો જવાબ ગોળીથી જ અપાશે, કલમ 370 ફરી નહીં આવે, નૌશેરામાં આતંકવાદ-વિપક્ષ-પાકિસ્તાનને અમિત શાહનો સીધો જવાબ

ગોળીનો જવાબ ગોળીથી જ અપાશે, કલમ 370 ફરી નહીં આવે, નૌશેરામાં આતંકવાદ-વિપક્ષ-પાકિસ્તાનને અમિત શાહનો સીધો જવાબ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં ચૂંટણી જાહેરસભાને સંબોધિત કરતા નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આ બંને પક્ષોની સરકાર નહીં બને. કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરમાંથી લોકોના અધિકારો છીનવી લીધા હતા. કાશ્મીરના લોકોને 70 વર્ષથી તેમનો અધિકાર મળ્યો નથી. કલમ 370 નાબૂદ થયા બાદ કાશ્મીરમાં લોકોને તેમના વાસ્તવિક અધિકારો મળ્યાં છે. વિપક્ષ કલમ 370 પરત લાવવાની વાત કરી રહ્યો છે. પરંતુ હવે જમ્મુ કાશ્મીરમાં ક્યારે કલમ 370 ફરી પાછી નહીં આવે.

શાહે કહ્યું કે આજે જમ્મુ-કાશ્મીરમાં આપણો ત્રિરંગો આન, બાન અને શાનથી લહેરાયો છે, પરંતુ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના લોકો કહે છે કે, તેઓ શેખ અબ્દુલ્લાનો ઝંડો પાછો લાવવા માંગે છે. ફારુક સાહેબ, તમે ઇચ્છો તેટલું બળ વાપરો… પણ હવે કાશ્મીરમાં ફક્ત આપણો પ્રિય ત્રિરંગો જ લહેરાશે. ગોળીઓનો જવાબ ગોળીઓથી આપવામાં આવશે. મોદી સરકારે આતંકવાદને નરકમાં દાટી દીધો છે.

આતંકવાદ ખતમ થાય પછી જ પાકિસ્તાન સાથે વાત

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદ ખતમ નહીં થાય ત્યાં સુધી અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ. આતંકવાદ ખતમ થયા પછી જ પાકિસ્તાન સાથે વાતચીત થશે. વિપક્ષ નિયંત્રણ રેખા ઉપર વેપાર પુનઃસ્થાપિત કરવા અને પથ્થરબાજોને મુક્ત કરવા માંગે છે. હું તમને ખાતરી આપું છું કે જમ્મુ-કાશ્મીરમાં કોઈ આતંકવાદી આઝાદીથી ફરી શકશે નહીં.

તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં 30 વર્ષ સુધી આતંકવાદ ચાલુ રહ્યો. જમ્મુ-કાશ્મીરમાં 30 વર્ષમાં 3 હજાર દિવસ કર્ફ્યુ હતો. 40 હજાર લોકો માર્યા ગયા. ફારૂક સાહેબ, તે દિવસોમાં તમે ક્યાં હતા ? કાશ્મીર સળગી રહ્યું હતું ત્યારે ફારૂક સાહેબ લંડનમાં આરામથી રજા માણી રહ્યા હતા. મોદીજી આવ્યા ત્યારે અમે એક એક આતંકવાદીઓને વીણી વીણીને ખતમ કર્યા.

અમે આરક્ષણ ખતમ થવા દઈશું નહીં

શાહે કહ્યું કે, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે કહ્યું છે કે અમે પહાડી, ગુર્જર બકરવાલ, દલિત, વાલ્મિકી અને ઓબીસી સમુદાયોને આપવામાં આવેલા આરક્ષણ પર પુનર્વિચાર કરીશું. રાહુલ ગાંધી અમેરિકા જઈને અનામત ખતમ કરવાની વાત કરે છે. હવે તેમનો વિકાસ થયો છે, તેમને હવે અનામતની જરૂર નથી. રાહુલ બાબા, અમે તમને આરક્ષણ દૂર કરવા નહીં દઈએ.

કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપીએ પહાડી ભાઈ-બહેનો પાસેથી 70 વર્ષથી અનામતનો અધિકાર છીનવી લીધો હતો. પહાડીઓને અનામત ન આપવાનો કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપીનો નિર્ણય હતો. મોદીજીએ કહ્યું કે જેને જે કરવું હોય તે કરી શકે છે. અમે પહાડીઓને અનામત આપીશું. અને આજે પહાડી લોકોને જમ્મુ કાશ્મીરમાં અનામત આપવામાં આવી છે.

Related post

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો તો ફોલો કરો આ ટ્રિક

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો…

જો તમે તમારા સ્માર્ટફોન પર કોઈ વીડિયો જોઈ રહ્યા છો અને ક્લાઈમેક્સ સીન દરમિયાન અચાનક કોઈ જાહેરાત દેખાય છે, તો સ્વાભાવિક…
Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ અકાઉન્ટથી 86 લાખની કરી ઠગાઇ

Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ…

જો તમે વોટસએપ વાપરી રહ્યા હોય તો આ સમાચાર વાંચવા તમારા માટે ખૂબ જરૂરી છે. કેમકે હવે સાયબર ગઠિયાઓ નવી મોડસ…
65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન ! વીડિયો વાયરલ થતા ફેન્સે આપી શુભેચ્છા

65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન…

બોલિવૂડ એક્ટર સંજય દત્ત ફરી એકવાર પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં આવ્યા છે. અહેવાલ છે કે 65 વર્ષની ઉંમરે સંજય દત્તે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *