ગેસ સિલિન્ડર ગોળ જ કેમ હોય છે ? જાણો શું છે તેની પાછળનું ખાસ કારણ
- GujaratOthers
- September 24, 2024
- No Comment
- 12
આજે ભારતમાં ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ ન થતો હોય. જો કે, એ વાત સાચી છે કે ગેસ લાઇન આવ્યા પછી ઘણા મહાનગરોમાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ નોંધપાત્ર રીતે ઓછો થયો છે. પરંતુ મોટાભાગના શહેરો સિવાય તમે ગામડાઓમાં મોટાભાગના ઘરોમાં પણ એલપીજીનો ઉપયોગ થતો જોવા મળે છે, પરંતુ શું તમે ક્યારેય તમને વિચાર આવ્યો કે, એલપીજી સિલિન્ડર ગોળ જ કેમ હોય છે ? આજે અમે તમને તેના વિશે જણાવીશું.
પહેલાના સમયમાં ઘરોમાં લાકડાના ચૂલા પર ખોરાક રાંધવામાં આવતો હતો. જો કે આજે પણ ઘણી જગ્યાએ લોકો લાકડાના ચૂલાનો ઉપયોગ કરે છે. પરંતુ હવે સરકારી યોજનાઓના કારણે મોટાભાગના ઘરોમાં ગેસ સિલિન્ડર પહોંચી ગયા છે. તેથી હવે લાકડાના ચૂલા પર ઓછું અને ગેસ પર વધુ રાંધવામાં આવે છે.
તમે જોયું હશે કે, ગેસ સિલિન્ડર હંમેશા ગોળાકાર જ હોય છે, તે નાનો હોય કે મોટો તેનો આકાર ગોળાકાર જ હોય છે. આ ઉપરાંત ઓક્સિજન સિલિન્ડર પણ ગોળાકાર જ હોય છે. સિલિન્ડર ક્યારેય ચોરસ નથી હોતો. તમને જણાવી દઈએ કે તમામ સિલિન્ડરોના આકારને ગોળાકાર રાખવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે.
શા માટે સિલિન્ડર ગોળાકાર જ હોય છે ?
જ્યારે પણ કોઈપણ લિક્વિડ અથવા ગેસને કન્ટેનરમાં રાખવામાં આવે છે, ત્યારે તે કન્ટેનરના ખૂણા પર વધારે દબાણ બનાવે છે. આવી સ્થિતિમાં ચોરસ સિલિન્ડર બનાવવામાં આવતા નથી, કારણ કે, ગેસ ચારે ખૂણા પર વધુ દબાણ કરે છે અને ખૂણામાંથી લીકેજ અથવા તે ફાટવાનું જોખમ રહેલું છે. આ કારણોસર તેને ચોરસ બનાવાયો નથી. ગોળાકાર અથવા નળાકાર હોવાનો ફાયદો એ છે કે સમગ્ર સિલિન્ડરમાં સમાન દબાણ રહે છે. જો અમુક જગ્યાએ ઓછું અને બીજી જગ્યાએ વધુ દબાણ હોય તો તે જોખમી બની શકે છે. તેથી જ તો ગેસ કે લિક્વિડ જેમાં ભરવામાં આવે છે, તે ટેન્કર પણ ગોળાકાર જ હોય છે.