કાળા કળિયુગમાં કમાવતર બન્યો ત્રણ બાળકોનો પિતા, પત્ની સાથે ઝઘડો થતાં બાળકોને અમદાવાદ રેલવે સ્ટેશન પર તરછોડી ફરાર
- GujaratOthers
- June 20, 2024
- No Comment
- 16
રેલવે પોલીસની ગીરફત માં રહેલ આરોપી રાહુલ રાજપૂતે તેના બાળકોને તરછોડી દીધા હતા. આ કળિયુગનો પિતા પોતાની જવાબદારી માંથી છુટવા માટે બાળકોને ત્યજી દીધા હતા. આરોપી રાહુલની પત્ની રાખી ઘર કંકાસમા ઝઘડો થતાં રિસાઈ જતી રહી અને જે બાદ ત્રણ બાળકોને કોણ સાચવશે તેવા ડરથી પિતા રાહુલ રાજપૂત તેના ભાઈ આશિષ રાજપૂત સાથે ભેગા મળી બાળકોને તરછોડી દીધા. જે 16 જૂનની વહેલી સવારે કાલુપુર રેલવે સ્ટેશન બુકિંગ ઓફિસમાં બિનવારસી ત્રણ બાળક મળી આવ્યા હતા.
રેલવેમાં બુકિંગ ઓફિસમાં બાળકોને બેસાડી ને છૂ
જે બાળકો ક્યાંથી લવાયા હતા તે શોધવા રેલવે પોલીસને સીસીટીવી તપાસ કરતા એક ટુ વ્હીલર પર રાહુલ અને તેનો ભાઈ આશિષ ત્રણ બાળકો લઈ કાલુપુર રેલવે સ્ટેશન આવ્યા હતા, જ્યાં પ્લેટફોર્મ નજીક નાસ્તો લઈ બુકિંગ ઓફિસમાં બાળકોને બેસાડી ને છૂ થઈ ગયા હતા. સીસીટીવી આધારે આરોપી પિતા રાહુલ અને તેનો ભાઈ આશિષની સાંણદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.
10 માસની બાળકી
પકડાયેલ આરોપી રાહુલ રાજપૂત મૂળ યુપીનો છે અને સાંણદ રહી પાણીપુરી વેચવાનું કામ કરતો હતો. બે વર્ષ પહેલા જ રાહુલે પોતાના ગામની રાખી નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. રાખી નામની મહિલાના અગાઉ લગ્ન થયા હતા જે છૂટાછેડા થતા દીકરો અને દીકરી એમ બે બાળકો સાથે રાહુલ જોડે લગ્ન કરી રહેતી હતી ત્યારે રાહુલ સાથે લગ્ન કર્યા બાદ એક બાળકીનો જન્મ થયો હતો જે હાલ 10 માસની બાળકી છે.
ઘર કંકાસમાં ઝઘડો થતા પત્ની ઘર છોડી જતી રહી હતી
આમ ત્રણેય બાળકોનું વિચાર્યા વગર જ 15 મી તારીખ રાત્રીના ઘર કંકાસમાં ઝઘડો થતા પત્ની ઘર છોડી જતી રહી હતી. જેની વહેલી સવારે આરોપી રાહુલ એ ત્રણેય બાળકોને તરછોડવાનું નક્કી કરીને રેલવે સ્ટેશન મૂકી દીધા હતા.
રેલવે પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે ત્યારે પત્ની રિસાઈને જતા રહેતા પિતાએ બાળકોને ત્યજી દીધા છે કે અન્ય કોઈ કારણ છે જે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.