કાયમી કરવાની માગ સાથે TET-TAT વાળા શિક્ષકોએ સ્વર્ણિમ સંકુલ-1માં કર્યું વિરોધ પ્રદર્શન

કાયમી કરવાની માગ સાથે TET-TAT વાળા શિક્ષકોએ સ્વર્ણિમ સંકુલ-1માં કર્યું વિરોધ પ્રદર્શન

TET અને TAT વાળા શિક્ષકોએ કાયમી ભરતીની માગને લઇને ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ -1 સચિવાલય પહોંચ્યા હતા. જ્યા તેમણે બેનર સાથે વિરોધ પ્રદર્શન કરતા પોલીસે તમામની અટકાયત કરી છે. છેલ્લા બે દિવસથી, TET અને TAT વાળા શિક્ષકોએ કાયમી કરવાની રજૂઆત સાથે ગાંધીનગરમાં ધરણા-દેખાવો-પ્રદર્શન કરી રહ્યા છે.

આજે TET અને TAT વાળા શિક્ષકો અલગ અલગ વાહનમાં ગાંધીનગર સચિવાયલ પહોચ્યાં હતા. જ્યા તેઓ સ્વર્ણિમ સંકુલ -1 આગળ આવીને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવાના બહાને બનર સાખે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્વર્ણિમ સંકુલમાંથી પ્રદર્શનકારી શિક્ષકોની ગાંધીનગર પોલીસે અટકાયત કરી હતી.

આ અગાઉ આજે યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની તેમના ઘરેથી અટકાયત કરવામાં આવી હતી. દહેગામ પોલીસે અગમચેતીના ભાગરૂપે યુવરાજસિંહ જાડેજાની, તેમના ઘરેથી અટકાયત કરી હતી. યુવરાજસિંહ જાડેજાની સાથેસાથે અન્ય બે શખ્સોને પણ પોલીસ સ્ટેશને લવાયા હતા.

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *