![એક એવા વ્યક્તિ કે જેની આગાહી બાદ ખેડૂતથી લઈ બિઝનેસમેન પણ દોડતા થઈ જાય છે, જાણો અંબાલાલના પરિવાર વિશે](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/07/200504-614976-629541916-710722577578131487303-802276-057529306127-026627904.jpeg)
એક એવા વ્યક્તિ કે જેની આગાહી બાદ ખેડૂતથી લઈ બિઝનેસમેન પણ દોડતા થઈ જાય છે, જાણો અંબાલાલના પરિવાર વિશે
- GujaratOthers
- July 1, 2024
- No Comment
- 6
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. 5 જૂલાઈએ મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને મહેસાણા સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસશે. આ આગાહી કરનાર અંબાલાલના પરિવાર વિશે જાણીએ.
અંબાલાલ પટેલના પરિવારમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી છે. એક દિકરો અમેરિકામાં ડોક્ટર તરીકે સેવા આપે છે. અંબાલાલ પટેલનો પરિવાર સુખી સંપન્ન પરિવાર છે.અંબાલાલનાં પત્નીનું કોરોનાને કારણે અવસાન થયું હતું.
આજે આપણે જાણીશું કે, આંબાલાલ પટેલ કંઈ રીતે બન્યા ગુજરાતનાં લોકપ્રિય હવામાનનાં નિષ્ણાત. તેમના શોખના કારણે હવામાન નિષ્ણાત તરીકે ખૂબ જ નામના મેળવી છે, તેમના અભ્યાસ વિશે વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલ ઍગ્રિકલ્ચર ગ્રૅજ્યુએટ છે. તેમણે આણંદની કૃષિ યુનિવર્સિટીમાંથી બીએસસી ઍગ્રિકલ્ચરની ડિગ્રી મેળવી છે
હવે અંબાલાલ પટેલને કોઈ ઓળખની જરુર નથી, કારણ કે, આજે સૌ કોઈ તેના નામથી જાણે છે. હવામાનમાં જો કાંઈ ફેરફાર થાય તો પણ સૌ કોઈ અંબાલાલ પટેલની આગાહીની રાહ જોતા હોય છે.
અંબાલાલ પટેલે 1980માં પહેલી આગાહી કરી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે. તેઓ ગરમી, ઠંડી કે પછી ચોમાસું તમામ સીઝનમાં તેઓ આગાહી કરતા હોય છે. તેમની આગાહી કેટલીક વખત સાચી પણ પડી છે.
તેઓ પંચાગ, ગ્રહો, નક્ષત્રો જોઈને આગાહી કરે છે, દરિયાકાંઠાના પવન જોઈને વરસાદની આગાહી લગાવી શકાય છે. અંબાલાલ પટેલને અનેક એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.અંબાલાલ પટેલે 1972માં ગુજરાત સરકારમાં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીમાં સુપરવાઈઝર તરીકે સેવા આપી હતી.
ગુજરાતના કેટલાક ખેડૂતો વાવણી માટે અંબાલાલની આગાહીને ધ્યાનમાં લેતા હોય છે, પરંતુ ક્યારેક આ આગાહી ખોટી પણ પડે છે.