ઈઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લા પર 1500 કરોડ રૂપિયાના બારુદથી કર્યો હૂમલો, 12 શહેર થયા ખંડેર

ઈઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લા પર 1500 કરોડ રૂપિયાના બારુદથી કર્યો હૂમલો, 12 શહેર થયા ખંડેર

ઈઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લા પર 1500 કરોડ રૂપિયાના બારુદથી કર્યો હૂમલો, 12 શહેર થયા ખંડેર

લેબનોનમાં વિનાશ જ વિનાશ જોવા મળી રહ્યો છે. લેબનોન અને ઇઝરાયેલ વચ્ચે છેલ્લા થોડા દિવસથી ઘર્ષણ જોવા મળી રહ્યુ છે. ઇઝરાયેલી સેના જે રીતે લેબનોનમાં વિનાશ મચાવી રહી છે તે સંદેશ છે કે હિઝબુલ્લાહનો અંત ખૂબ નજીક છે. હિઝબુલ્લાહની હાલત પણ ગાઝામાં હમાસ જેવી જ છે. માત્ર ચાર દિવસના ઓપરેશન દરમિયાન, ઈઝરાયેલે હિઝબુલ્લાહના 90 ટકા નેતૃત્વને નષ્ટ કર્યું એટલું જ નહીં પરંતુ તેની અડધી લશ્કરી તાકાતનો પણ નાશ કર્યો.

ઇઝરાયેલને આટલી મોટી સફળતા એટલા માટે મળી કારણ કે IDFએ એક દિવસમાં હિઝબુલ્લા પર 1500 કરોડ રૂપિયાની મિસાઇલોથી હૂમલો કર્યો. ઈઝરાયેલના અકલ્પનીય હુમલામાં માત્ર હિઝબુલ્લાહની ટોચની નેતાગીરી જ ખતમ થઈ નથી પરંતુ તેની લશ્કરી તાકાત પણ અડધી થઈ ગઈ છે. ઈઝરાયેલ અને અમેરિકાનું કહેવું છે કે ઓપરેશન નોર્ધન એરોને કારણે હિઝબુલ્લાહનું અડધું લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ થઈ ગયું છે.

હિઝબુલ્લાહના માત્ર ત્રણ ટોચના નેતાઓ બાકી

IDFએ તેના રિપોર્ટમાં જણાવ્યુ હતુ કે હવે હિઝબુલ્લાના ટોચના નેતૃત્વમાં માત્ર ત્રણ લોકો જ બચ્યા છે, જે છે ચીફ હસન નસરાલ્લાહ, હિઝબુલ્લાના દક્ષિણી મોરચાના કમાન્ડર અલી કરાકી અને બદર યુનિટના વડા અબુ અલી. હવે હિઝબુલ્લાના નેતૃત્વમાં માત્ર આ ત્રણ લોકો જ બચ્યા છે, બાકીના 18 લોકોને ખતમ કરી દેવામાં આવ્યા છે.

હિઝબુલ્લાહના 50 ટકા હથિયારો નષ્ટ

ઈઝરાયેલે હિઝબુલ્લાહની અડધી લશ્કરી શક્તિનો નાશ કરી દીધો છે. IDF અનુસાર, ત્રણ દિવસ પહેલા સુધી હિઝબોલ્લાહ પાસે 1 લાખ 40 હજાર રોકેટ અને મિસાઈલોનો ભંડાર હતો, પરંતુ ઈઝરાયેલે ભીષણ હુમલામાં હિઝબુલ્લાના અડધા રોકેટ અને મિસાઈલોને નષ્ટ કરી દીધા છે. એટલે કે લગભગ 70 હજાર રોકેટ અને મિસાઈલ બળી ગયા છે. હવે હિઝબુલ્લાહ પાસે લગભગ 70 હજાર રોકેટ અને મિસાઈલ બાકી છે. IDF દાવો કરે છે કે તેણે હિઝબુલ્લાહના 50 ટકા હથિયારો, તેના લગભગ 50 ટકા રોકેટ લોન્ચ પેડ્સ અને તેના 60 ટકા પાયાને કાટમાળમાં ફેરવી દીધા છે.

ઇઝરાયેલ ફરી હુમલો કરી શકે

એવું માનવામાં આવે છે કે ઇઝરાયેલના હુમલાનો આગામી તબક્કો લેબેનોનમાં શરૂ થવાનો છે. એટલા માટે ઇઝરાયેલી સૈન્ય દક્ષિણ લેબનોનને ખાલી કરી રહ્યું છે, IDF એ ફરીથી પત્રિકાઓ છોડી દીધી છે જેમાં લોકોને શક્ય તેટલી વહેલી તકે દક્ષિણ લેબનોન છોડવા માટે કહેવામાં આવ્યું છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ લેબનોનના લોકોને અંતિમ ચેતવણી આપતા કહ્યું કે જો લોકો હિઝબુલ્લાહને મિસાઈલ અને ગનપાઉડર પોતાના ઘરમાં રાખવા દેશે તો તેમના ઘરો ચોક્કસ બરબાદ થઈ જશે.

પત્રિકાઓને કારણે લેબનોનમાં હલચલ

બીજી તરફ IDF દ્વારા પડતી પત્રિકાઓને કારણે લેબનોનમાં હલચલ મચી ગઈ છે. આ સ્લિપ્સમાં એક QR કોડ છે, IDFએ કહ્યું છે કે લોકોએ આ QR કોડને તેમના ફોનથી સ્કેન કરવો જોઈએ, સ્કેન કર્યા પછી લોકોને ખબર પડશે કે કયો વિસ્તાર ખાલી કરવો અને ક્યાં જવું.

હિઝબુલ્લાએ લોકોને QR કોડ સ્કેન ન કરવાની અપીલ કરી છે. હિઝબુલ્લાએ કહ્યું છે કે આ પેજર હુમલા જેવું મોસાદનું ખતરનાક કાવતરું છે. જો બારકોડ સ્કેન કરવામાં આવશે તો લોકોના ફોન હેક થઈ જશે. તેમની માહિતી ઈઝરાયેલની સેના સુધી પહોંચશે. જેનો તે હુમલા માટે ઉપયોગ કરશે.

લોકોએ દક્ષિણ લેબનોન છોડી દીધું

લોકો ગભરાટ વચ્ચે દક્ષિણ લેબનોન છોડી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે હવે IDF લેબનોનમાં પ્રવેશ કરશે અને હિઝબુલ્લાહ વિરુદ્ધ ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરશે. દેખીતી રીતે લેબનોન યુદ્ધ જે રીતે વિસ્તરી રહ્યું છે. તે પુરાવો છે કે અરેબિયામાં એક મહાન યુદ્ધ શરૂ થયું છે.

Related post

તમે જે દૂધ પી રહ્યા છો તે અસલી છે કે ભેળસળવાળુ? આ ત્રણ સરળ ટિપ્સથી જાતે જ કરો ઓળખ

તમે જે દૂધ પી રહ્યા છો તે અસલી છે…

દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ પીવાથી આપણા શરીરને ઘણા પોષક તત્વો મળે છે. કેલ્શિયમથી ભરપૂર હોવાથી હાડકાં…
અમદાવાદમાં નકલીના ખેલે હદ વટાવી ! ગાંધીજીના બદલે અનુપમ ખેરના ફોટા વાળી ચલણી નોટ ઝડપાઇ, જુઓ Video

અમદાવાદમાં નકલીના ખેલે હદ વટાવી ! ગાંધીજીના બદલે અનુપમ…

તમે જો પાંચસોની ચલણી નોટ પર ગાંધીજીના બદલે અનુપમ ખેરનું ચિત્ર જુઓ તો આશ્ચર્ય નહીં પણ આઘાત લાગે. જોકે એવું થયું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *